Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૯ની ચૂંટણી સત્તા મેળવવા માટે જોડતોડ પર આધારિત હશે

૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં કોનો વિજય થશે અને કોનો પરાજય, આજની તારીખે આ અંગે અભિપ્રાય જુગાર રમવા જેવું છે.જ્યારે ઉત્તરપ્રદેશની ચુંટણીઓ થઇ ત્યારે સપાની સામે લોકોને ગુસ્સો હતો તેના કારણે યોગીને જોરદાર સફળતા મળી હતી પણ તેમણે સત્તાનાં સુત્રો સંભાળ્યા ત્યારબાદ ઉત્તરપ્રદેશની સ્થિતિમાં કોઇ ખાસ ફેરફાર આવ્યો હોય તેવું હાલ તો જોવા મળી રહ્યું નથી સરકારની આ ઉદાસિનતાની સામે લોકોએ થોડા સમય બાદ જ ચુંટણીઓ થઇ ત્યારે એ બેઠક પર ભાજપને આંચકો આપ્યો જે બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવતી હતી.ગોરખપુર પર યોગીનો પ્રભાવ આ પહેલા વિધાનસભાની ચુંટણી સમયે જોવા મળ્યો હતો અને તેમની વિચારધારાને તે ચુંટણીમાં સત્તા મેળવવા માટે ઉપયોગ કરાયો હતો.માત્ર ગોરખપુર જ નહી પણ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આ વિચારધારાને કારણે સત્તા પ્રાપ્ત થઇ હતી ત્યારે એવું તે શું થયું જેના કારણે પેટા ચુંટણીમાં ભાજપને આંચકો સહન કરવો પડ્યો છે જ્યારે યોગીને ઉત્તરપ્રદેશમાં સફળતા મળી ત્યારે કહેવાતું હતું કે આ સુત્રોનાં સહારે ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપ સત્તાને પ્રાપ્ત કરશે પણ હવે લાગી રહ્યું છે કે આ ચુંટણીઓની રણનીતિ અંગે ફરી એકવાર વિચાર કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે.
પરંતુ જે રીતે ગોરખપુરની બેઠક પર ભાજપનો પરાજય થયો છે, તે જોતા ત્રણ સવાલ ઊભા થાય છે.પહેલો, ચૂંટણીમાં જાતિગત ગણિતના આધારે લડાશે. બીજું, ’વિકાસ’નો નારો એ ’ગરીબી હટાવો’ની જેમ નારો જ છે.ત્રીજું, જે રીતે પરિવર્તનની લહેર ઊભી થઈ છે, તેને જોતા એક દમદાર રાજનેતાની જરૂર છે, પણ નેતા રાહુલ ગાંધી નથી.મતલબ કે ઇચ્છીએ કે ન ઇચ્છીએ ૨૦૧૪ના જનાદેશને પડકારવા માટે ૨૦૧૯નું વર્ષ સજ્જ થઈ રહ્યું છે.દાયકાઓથી ગોરખપુર લોકસભા બેઠકની ઓળખ હિંદુ મહાસભા સાથે સંકળાયેલી રહી છે.રાજકીય રીતે હિંદુ મહાસભાએ માત્ર ગોરખપુરની બેઠક પર જ સંઘ પરિવારને પડકાર આપ્યો છે.અહીં મહંત દિગ્વિજયનાથથી માંડીને અવૈદ્યનાથ સુધીના કાળમાં જનસંઘ કે ભાજપ તેમની સામે ટકી શક્યા ન હતા અને યોગી આદિત્યનાથની રાજકીય ટ્રેનિંગ સંઘની શાખામાં નહીં, પરંતુ ગોરખધામ પર પ્રભુત્વ ધરાવતી હિંદુ મહાસભાની વિચારસરણી મુજબ થઈ છે.હિંદુત્વ સંદર્ભે સાવરકર તથા હેડગેવારના વિચારો વચ્ચે વારંવાર ટક્કર થતી હતી એટલે સંઘ અને હિંદુ મહાસભાનો ટકરાવ થતો.પહેલી વખત રાજકીય બાબતોમાં દખલ દેતા સંઘે યુપીના મુખ્યપ્રધાન તરીકે હિંદુ મહાસભાના યોગી આદિત્યનાથનું નામ આગળ કર્યું.નરેન્દ્ર મોદી તથા અમિત શાહની પસંદ મનોજ સિંહા હતા.યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન તરીકે બેસાડવા પૂરતો સંઘનો પ્રયોગ મર્યાદિત ન હતો.સંઘની અંદર ઊભા થઈ રહેલા સાવરકરવાદી જૂથને નાથવા તથા હિંદુત્વના એજન્ડા મારફત સત્તા સુધીના માર્ગને સરળ બનાવવાનો હેતુ પણ છે.મતલબ કે વાજપેયીની જેમ મોદી વિકાસવાદનો નારો લગાવીને સંઘનો એજન્ડા આગળ વધી શકે તેમ ન હોય તો યોગીની ફોર્મ્યુલા પર સંઘ આગળ વધશે.એ વાતના અણસાર વર્ષ ૨૦૧૭માં જ આપી દેવામાં આવ્યા હતા.ગોરખપુરની બેઠક પર અવિરત વિજયની યોગી આદિત્યનાથની રાજકીય કાબેલિયત સંઘે જોઈ હતી.પરંતુ યોગી મુખ્યપ્રધાન બને, તેના માત્ર એક વર્ષમાં તેમનો જનાધાર તૂટી જશે, તેનો અંદાજ સંઘ કે ભાજપને ન હતો.આ સંજોગોમાં બીજો સવાલ એ ઊભો થાય છે કે સંઘ પરિવાર તેના સ્વયંસેવક નરેન્દ્ર મોદીની રાજકીય ક્ષમતા પર ભરોસો મૂકે અને યોગી આદિત્યનાથ જેવા પ્રયોગો પડતા મૂકે.અથવા તો યોગી-મોદીનો સંયુક્ત રાજકીય મંત્ર અસરકારક ન હોવાની વાત સ્વીકારીને તેના જૂના એજન્ડા પર પરત ફરે.કોઈ લહેર નહીં.જેમ વિપક્ષની પાસે ૨૦૧૯ના ચૂંટણી જંગમાં ઉતરવા માટે કોઈ દમદાર નેતા નથી, એવી જ સ્થિતિ સંઘ પરિવારની છે.તેમની પાસે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.સ્પષ્ટ છે કે ઇચ્છાએ કે અનિચ્છાએ ૨૦૧૯ની ચૂંટણીઓ ’જાતિગત ગણતરી’ તરફ વળતી જણાય છે, જેમાં કોઈની લહેર નથી.સોશિયલ એન્જિનિયરિંગના નામે જાતિઓને આગળ કરવામાં આવે અને હિંદુત્વના નામે ધાર્મિક લાગણીઓ વચ્ચેની ટક્કર દ્વારા વોટબેન્ક ઊભી કરવામાં આવે.આ સંજોગોમાં પણ મોદી સરકાર પાસે ત્રણ કામ કરાવવામાં આવશે.પહેલું નવેમ્બર મહિના સુધીમાં રામ મંદિર માટેનો રસ્તો ખુલ્લો કરાવવો.બીજું કે જનધન બૅન્ક ખાતાઓમાં સરકારી સહાય સીધી જ મળતી થાય.ત્રીજું, સીબીઆઈ મારફત માયાવતી-અખિલેશ સામેની ફાઈલો ખોલવી અને ભ્રષ્ટાચાર સામેનું અભિયાન ૨૦૧૯ની ચૂંટણીનું વલણ બદલી નાખે.ઉપરોક્ત સંજોગો વિના ’મોદી લહેર’ કે વિકાસ-રોજગાર મારફત ફરી મોદી સત્તામાં આવે તે મુશ્કેલ જણાય છે.કારણ કે રામ મંદિર નિર્માણ માટેનો રસ્તો ખુલ્લે તો પણ વધુમાં વધુ ૧૯૯૬માં યોજાયેલી લોકસભા ચૂંટણી જેટલો લાભ મળે.૧૯૯૨માં બાબરી ધ્વંસ પછી વર્ષ ૧૯૯૬માં પહેલી વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.૧૯૯૬માં રામ મંદિરની લહેર છતાંય ૧૯૯૬માં ભાજપને માત્ર ૧૬૧ બેઠકો મળી હતી, જ્યારે ૯૯ બેઠકો પર પાર્ટી બીજા ક્રમે રહી હતી.એ ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ૨૯.૬૫ ટકા મત મળ્યા હતા.મતલબ કે હિંદુત્વ કે રામ મંદિરની લહેર પણ ભાજપને ૨૦૦નો આંકડો પાર કરાવી શકે?
આ સવાલનો જવાબ ૧૯૯૬માં પણ ન મળ્યો તો ૨૦૧૯માં કયા આધારે ભાજપ ૨૦૦ને પાર કરી શકશે, તે સવાલ છે.બીજું કે ૧૯૯૬માં તો દરેક વોટર અયોધ્યાકાંડથી વાકેફ હતો.પરંતુ, ૨૦૧૯માં જેટલા મતદાતા હશે, તેમાંથી ૨૭ ટકા મતદાતાઓનો જન્મ ૧૯૯૨ બાદ થયો હશે.કુલ ૩૮ ટકા યુવા મતદાતાઓ સામે રોજગાર તથા શિક્ષણ જેવા સવાલો જડબું ફાડી ઊભા છે.માહિતી અને સંચારના આ યુગમાં વિકાસ અંગે યુવાનોની આગવી વ્યાખ્યા છે.ત્યારે હિંદુત્વ કે રામ મંદિરની યુવા મતદાતાઓ પર કેટલી અસર થશે, તે સવાલ છે.એમ તો રાજીવ ગાંધીની હત્યા બાદ પણ કોંગ્રેસની લહેર ઊભી થઈ હતી.આમ છતાંય ૧૯૯૧ની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી માટે જરૂરી ૨૭૨ બેઠકો મળી ન હતી.૪૫.૬૯ ટકા મતો સાથે કોંગ્રેસને ૨૪૪ બેઠકો મળી હતી.જ્યારે ૨૨.૪૭ ટકા મત સાથે ભાજપને ૧૨૦ બેઠકો પર વિજય મળ્યો હતો.મતલબ કે ૧૯૯૧માં કોંગ્રેસની લહેર હતી પણ ૧૯૯૬માં અયોધ્યાકાંડની અસર હેઠળ કોંગ્રેસના મતોની ટકાવારી ૪૫.૬૯ ટકાથી ઘટીને ૨૫.૭૮ ટકા થઈ ગઈ હતી.ભાજપના મતોની ટકાવારી ૨૨.૪૭ટકા પરથી વધીને ૨૨.૪૭ ટકા પર પહોંચી.મતલબ કે માત્ર રામ મંદિરના મુદ્દે ૨૦૧૯માં ભાજપ ફરી સત્તા પર આવે, તેમ નથી લાગતું.કારણ કે, ૨૦૧૪માં જે આશાઓ ઊભી કરીને ભાજપ સત્તા પર આવ્યો હતો, તેણે ૨૦૧૯માં કોંગ્રેસ તથા વિપક્ષને ભૂતકાળના તમામ ભારથી મુક્ત કરી દીધો છે.૨૦૧૪માં મોદીના જાદુથી ભાજપને ૨૦૦૯ની સરખામણીએ ૧૨.૧૯ ટકા વધુ મત અપાવ્યા.ભાજપને ૩૧ ટકા મત મળ્યા હતા.કોંગ્રેસના મતોની ટકાવારી ૨૦૦૯માં ૨૮.૫૫ ટકા હતી. જે ૯.૨૫ ટકા ઘટીને ૧૮.૮૦ ટકા રહી.મતલબ કે ૧૯૯૧ પછી માત્ર ભારતીય મૂડી બજાર મૂડીમાં જ નહીં, પરંતુ રાજકીય પરિદૃશ્ય પર પણ છવાઈ ગયા.૨૦૧૪માં મોદીએ ગુજરાત મોડલ મારફત તેને વેગ આપ્યો.સંજોગવસાત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ’ગુજરાત મોડલ’ હાંફી ગયું, ત્યારે ૨૦૧૯માં પાર્ટી પાસે શું રહ્યું? વિશેષ કરીને ૧૯૯૧થી ૨૦૧૪ સુધી ગોરખપુરની બેઠક પર યોગી આદિત્યનાથનો વિજય થયો હતો.યાદવ, જાટવ તથા મુસ્લિમના ગઠબંધને ભાજપની વિજયકૂચને બ્રેક મારી દીધી છે.
કિસાન સંઘથી લઈને મજૂર સંઘ તથા સ્વદેશી જાગરણ મંચથી લઈને વિશ્વ હિંદુ પરિષદ અને મોદી વચ્ચે ટક્કર થઈ.સંઘને પોતાના ઈશારે નચાવીને નરેદ્ર મોદી મજૂર સંઘ, કિસાન સંઘ તથા સ્વદેશી જાગરણ મંચના પદાધિકારીઓને દૂર કરાવવામાં સફળ રહ્યા હતા.પરંતુ વિહિપમાંથી પ્રવીણ તોગડિયાને દૂર ન કરી શક્યા. ઉપરાંત ભૈય્યાજી જોશીના સ્થાને દત્તાત્રેય હોસબેલેની સહકાર્યવાહક તરીકે નિમણૂક કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા..
ચોથી વખત સરકાર્યવાહક બન્યા બાદ તેઓ રામ મંદિર ઉપરાંત ખેડૂતોની કંગાળ સ્થિતિ વિશે ઉલ્લેખ કરવાનું ચૂક્યા ન હતા.મતલબ કે ઇચ્છાએ કે અનિચ્છાએ જેવી રીતે વાજપેયી પ્રત્યે સંઘનો પ્રેમ ખૂટ્યો હતો, તેવી જ રીતે મોદી પ્રત્યેનો પ્રેમ પણ ખૂટી રહ્યો છે.એ સમયે વાજપેયી ઇચ્છતા હતા કે રાજકારણના જાણકાર મદનદાસ દેવીને સરકાર્યવાહક બનાવવામાં આવે.પરંતુ તત્કાલીન સરસંઘસંચાલક સુદર્શને મોહન ભાગવતને સરકાર્યવાહ નિમ્યા.મતલબ કે ગોરખપુરના ચૂંટણી પરિણામોમાં માત્ર ૨૦૧૯ માટે વિપક્ષની રણનીતિ જ નહીં, પરંતુ સંઘ-ભાજપની હિંદુત્વની પ્રયોગશાળા પર પણ ટકેલી છે.લાંબાગાળા પછી પ્રાદેશિક ક્ષત્રપોની મહત્ત્વકાંક્ષા સ્પષ્ટપણે દર્શાવે છે કે ૨૦૧૯ની ચૂંટણી કોઈ વચન કે આશા પર નહીં, પરંતુ માત્ર અને માત્ર સત્તા મેળવવા માટે જોડતોડ પર આધારિત હશે.તેમાં કોણ જીતશે અને કોણ હારશે, તેનો નિર્ણય મતદાતા કરશે.

Related posts

पहले समान सीवील कानून तो लाईये साहिबान, फिर वन नेशन-वन इलैकशन का राग आलापिये..!!

aapnugujarat

ભુતકાળમાં વિધાતા છઠ્ઠીના દિવશે બાળકનું ભાગ્ય લખતા અને આજે…?

aapnugujarat

આજકાલ ઓનલાઈનને કારણે આંખોની બિમારીમાં ૫૦ ટકાનો વધારો

editor

Leave a Comment

UA-96247877-1