વર્ષ ૨૦૪૭માં દેશ આઝાદીનાં ૧૦૦ વર્ષની ઉજવણી કરશે ત્યારે શું તે આભડછેટ મુક્ત હશે ? આ પ્રશ્ન સાથે આવતા ૩૦ વર્ષને લક્ષ્યમાં રાખીને આભડછેટ મુક્ત ભારત આંદોલન શરૂઆત કરવામાં આવી છે. આજ રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાનીદેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અઘ્યક્ષતામાં યોજાઈ ગયું.
આ સંમેલનમાં એક હજારથી વઘુ ગામડાઓમાંથી આભડછેટ મુક્તિ માટે કાર્યરત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહી ભાગ લીધો હતો જેમાં મુખ્યમંત્રીને સુપડામાં એક આવેદન આપીને આગામી ૧૫ ઓગસ્ટે રાજ્યનું એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર આપશે.સંમેલનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાંથી લોકો જોડાયાં હતા.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)