વિજાપુર પહાડાવાળી મહાકાલી માતાજીના મંદિર દેવપુરા ખાતે ખેડૂત અધિકાર સંમેલન કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યું જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલે જણાવ્યું હતું કે જેમાં કિસાનો માટે કાયદા બનાવીને ખેડૂતોના હિતોને નુકસાન જ કર્યું. આ કાયદો પાછો ખેંચવાનો સમય પણ નજીક આવ્યો છે જેના વિરોમાં દિલ્હીમાં કિસાનો આંદોલન ચલાવી રહ્યાં છે જેમાં જેમાં દરેક ખેડૂતોને જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજયસભા સાંસદ રાજીવ સાતવ, પુર્વ ગૃહમંત્રી અને પૂર્વ વિરોધપક્ષના નેતા નરેશ રાવલ રાજયસભા સાંસદ અમી યાજ્ઞિક માજી. રાજસભા સાંસદ સાગર રાયકા, અલકા ક્ષત્રિય , ઉત્તર ગુજરાતના પ્રભારી અશ્વિન કોટવાલ, ડો. સી.જે.ચાવડા બળદેવજી ઠાકોર વિજયભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ નુ સંચાલન શહેર પ્રમુખ રાજુ દેસાઈ તેમજ આભાર વિધી એલ.એસ. રાઠોડ દ્વારા કરવામાં કરાઈ હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)