ભાજપના નેતાઓને તેમની યોગ્ય જગ્યા દેખાડનારી મહિલા પોલીસ અધિકારી શ્રેષ્ઠાસિંહની બુલંદશહરથી બહરાઈચ બદલી કરવામાં આવી છે.શ્રેષ્ઠાસિંહ ઠાકુરે તાજેતરમાં ભાજપના સ્થાનિક નેતા અને અન્ય પાંચ નેતાઓને પોલીસ કાર્યવાહીમાં દખલગીરી કરવા અને પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરવાના આરોપમાં જેલાં મોકલી આપ્યા હતા. શ્રેષ્ઠાસિંહની બદલીને સ્થાનિક નેતાઓ પોતાનું સમ્માન અને જીત માની રહ્યા છે. તેની સાથે વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ તેઓ મહિલા પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માગણી પણ કરી રહ્યા છે. બુલંદશહરના ભાજપ પ્રમુખ મુકેશ ભારદ્વાજે શ્રેષ્ઠાસિંહ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા મામલે ફરિયાદ દાખલકરવામાં આવી હોવાનું જણાવ્યું છે.મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ટ્રાફિકના નિયમો તોડવા મામલે ભાજપના કાર્યકર્તાઓને દંડ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ત્યાર બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મહિલા પોલીસ અધિકારી શ્રેષ્ઠાસિંહ ઠાકુર સાથે ગેરવર્તન કરાયું હતું અને પોલીસે ઝડપેલા કાર્યકર્તાઓને છોડાવવાની કોર્ટ પરિસરમાં કોશિશ કરવામાં આવી હતી.
પાછલી પોસ્ટ