Aapnu Gujarat
રાષ્ટ્રીય

દશકાઓ સુધી કોંગ્રેસે જે સંબંધો બાંધ્યા તેને મોદી સરકારે તોડી નાંખ્યા : રાહુલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દેશમાં પરત ફરી ચૂક્યા છે. તેઓ પોતાની માતા સોનિયા ગાંધીની સારવાર માટે તેમની સાથે વિદેશ ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે સંકળાયેલા હતા. તેઓ અવારનવાર ટિ્‌વટર દ્વારા મોદી સરકાર પર પ્રહાર સાધતા રહ્યા છે. થોડા સમય અગાઉ તેમણે સરકાર પર આંતરરાષ્ટ્રીય સંબંધો મામલે પ્રશ્ન કરતા પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, મિસ્ટર મોદીએ સંબંધોના એ જાળાને નષ્ટ કરી દીધો છે, જે સંબંધોને કોંગ્રેસે કેટલાય દશકાઓ સુધી મહેનત કરીને બનાવ્યો હતો. પડોશમાં મિત્રો વગર રહેવું ખતરનાક છે. રાહુલ ગાંધીએ એક અહેવાલનો ઉલ્લેખ કરતા આ ટ્‌વીટ કર્યું છે. આ અહેવાલ બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધોના નબળા થવા અને ચીન સાથેના સંબંધોના મજબૂત થવા પર હતા.
રાહુલે આ અગાઉ કૃષિ બિલના મામલે મોદી સરકાર પર પ્રહાર કરતા ટ્‌વીટ કર્યું હતું. કૃષિ બિલોને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાહુલે ટ્‌વીટ કર્યું હતું કે, જે ખેડૂત ધરરતીમાંથી સોનું ઉગાડે છે, મોદી સરકારનો અહંકાર તેમને જ લોહીના આંસુએ રોવડાવે છે. રાજ્યસભામાં આજે જે પ્રમામે કૃષિ બિલના સ્વરૂપમાં સરકારે ખેડૂતો વિરુદ્ધ મોતનું ફરમાન નિકાળ્યું છે તેનાથી લોકતંત્ર શરમમાં મુકાયું છે. કોરોનાના વધતા જતા કેસોના મામલે પણ સરકાર પર પ્રહાર કર્યો હતો.

Related posts

ईवीएम पर ठीकरा फोड़ने से बाज आये कांग्रेस : मोदी

aapnugujarat

जम्मू-कश्मीर से अनुच्छेद 370 की बहाली नहीं, तब तक कोई चुनाव नहीं लड़ूंगी : महबूबा मुफ्ती

editor

ऑक्सफोर्ड लैंग्विजेज ने ‘आत्मनिर्भर भारत’ को 2020 का हिंदी शब्द किया घोषित

editor

Leave a Comment

UA-96247877-1