સમગ્ર દેશ હાલમાં કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યો છે. અને બીજી બાજુ ભારે વરસાદના પગલે બિહાર અને આસામમાં ભારે પૂર આવતા લોકો પર સંકટ ગેરાયું છે. બિહાર અને આસામમાં ભારે પૂરના પગલે લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અને પૂરના પગલે કેટલાક લોકો બે ઘર થઈ ગયા છે. તો કેટલાકને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરના પાક ધોવાઈ ગયા છે.
આ કપરા સમયમાં કેટલાક સેલિબ્રિટીઓ અસરગ્રસ્ત લોકોની મદદે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પૂર પીડિતો માટે મદદ કરવા આગળ આવ્યા છે. વિરાટ અનુષ્કાએ પૂર રાહત માટે કામ કરી રહેલી ત્રણ સંસ્થાઓને દાન આપ્યું છે.
વિરાટ કોહલી અને અનુષ્કાએ પોતાના સોશિયલ એકાઉન્ટ દ્વારા આ વિશે જાણકારી આપી છે. બંનેએ સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે ત્રણ સેવા કરનારી સંસ્થાઓને દાન આપી રહ્યા છે. જે પૂર પીડિતોની મદદ કરી રહી છે. વિરાટ અનુષ્કાએ આ પોસ્ટ દ્વારા પૂરમાં બેઘર થઈ ગયેલા લોકોની મદદ માટે અપીલ પણ કરી છે.
વિરાટ અનુષ્કાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે આપણો દેશ અત્યારે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આ સાથે બિહાર અને આસામમાં લોકો પૂરથી પરેશાન થયા છે.જેના પગલે કેટલાક લોકોની જીંગદી પર અસર પડી છે. અમે બિહાર અને આસામના લોકો માટે પ્રાર્થના કરતા રહીશું. અમે બંનેએ નિર્ણય લીધો છે કે અમે જરૂરીયાત મંદ લોકોની મદદ કરીશું. ત્રણ સંસ્થાઓની મદદ કરીશું જે પૂર પીડિતો માટે શાનદાર કામ કરી રહ્યા છે.
આ પોસ્ટમાં તેણે લોકોને પણ અપીલ કરી હતી કે જો તમને પણ સારૂ લાગે તો આ સંસ્થા દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરી શકો છો. વિરાટ અને અનુષ્કાને તેના આ નિર્ણય માટે સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસંશા મળી. લોકો કોમેન્ટ દ્વારા કહી રહ્યા છે કે તેમના આ સરાહનિય કામથી પ્રભાવિત થઈને તેની અપીલને જરૂરથી ફોલો કરશે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકે પણ આ કપરા સમયમાં મદદ કરી હતી અને ત્યાર બાદ વિરાટ અને અનુષ્કા પણ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. જ્યારે સોનૂ સૂદ પહેલાથી મદદ કરી રહ્યો છે. તેણે તેના જન્મદિવસ પર આસામ અને બિહારના લોકોને ત્રણ લાખ નોકરી આપવાની જાહેરાત કરી છે..