છોટાઉદેપુર..
જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ છોટાઉદેપુર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૬૪,૦૧૬/- નું દાન પેટે ચેક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ
છોટાઉદેપુર જિલ્લામાં જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ છોટાઉદેપુર દ્વારા કોરોના વાઇરસ સામેની લડાઇ લડવામાં મદદરૂપ થવાનાં આશયથી રૂ. ૧,૬૪,૦૧૬ /- રૂપિયાનું દાન ચેક દ્વારા જિલ્લાવિકાસ અધિકારીને અર્પણ કરવામાં આવ્યું.
વિશ્વમાં આરોગ્ય સંસ્થાઓ કોરોના વાઇરસ કોવીડ-૧૯ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત દેશ અને ગુજરાત રાજયમાં પણ કોરોના વાઇરસના દિવસેને દિવસે પોઝિટિવ કેસો નોંધાતા જોવા મળી રહ્યા છે.તેવા સમયે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસનને મદદરૂપ થવાનાં આશયથી છોટાઉદેપુર જિલ્લા તલાટી કમ મંત્રી મહા મંડળ છોટાઉદેપુર દ્વારા બોડેલી,સંખેડા, નસવાડી ,પાવીજેતપુર અને છોટાઉદેપુર ના તમામ તલાટી શ્રી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાનો એક દિવસના પગારમાંથી એકત્રિત કરી રૂ.૧,૬૪,૦૧૬/- નું દાન આપવામાં આવ્યું.
ઇમરાન સિંધી..પાવીજેતપુર