ટીવી સિરિયલોના અભિનેતા કુશાલ પંજાબીએ મુંબઈ સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઈ છે. કુશાલે ગઈકાલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. કુશાલે સુસાઈડ નોટમાં પોતાના મોત માટે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી. કુશાલના નિધનની વાત ટીવી એકટર કરનવીર બોહરાએ સોશ્યલ મિડિયામાં શૅર કરી હતી.
ટીવી સ્ટાર ચેતન હંસરાજે કહ્યું હતું, ‘મેં તેની સાથે ક્રિસમસની સાંજે જ વાત કરી હતી. તે થોડો મુશ્કેલીમાં હોય તેમ લાગ્યું હતું પરંતુ તે આવું કંઈ કરશે તે વાતનો સહેજ પણ અંદાજો નહોતો. તે કામને કારણે થોડો સ્ટ્રેસ હતો અને તેને નાણાંકીય મદદની જરૂર હતી. આજે બપોરે ૧ વાગ્યે કુશાલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આગળની પોસ્ટ