કડી તાલુકાના નંદાસણ મુકામે ઈન્દિરા નગર વણકરવાસમાં ડૉ બાબા સાહેબ આંબેડકરનો ૬૪મો પરિનિમૉણ દિન તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ શ્રધ્ધાંજલીનો કાયૅકમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ ભીખાભાઇ એ. મકવાણા, બાબુભાઈ સી. મકવાણા, મંડપ ડેકોરેશનવાળા ડાહ્માભાઈ પરમાર, પૂવૅ પંચાયત સભ્ય મંગળભાઈ એમ. મકવાણા, નારણભાઈ મકવાણા, બળદેવભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, ભીખાભાઈ પરમાર, ભગવાનભાઈ મકવાણા તેમજ મોટી સંખ્યામાં લોકોએ બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૨૦૨૦ના કેલેન્ડર લોકોને આપવામાં આવ્યાં હતાં.