ભાદરવા સુદ પૂનમ ખેડબ્રહ્મા અંબાજી મંદિર ખાતે મહામેળામાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીક તથા તેમના પરિવાર દ્વારા માતાજીના મંદિર ખાતે ૫૨ ગજની ધજા રોકાણ કરવામાં આવી હતી.
શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. પોલીસ બેન્ડ સાથે ધજારોહણ કરવામાં આવી હતી અને માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી આ શુભ પ્રસંગમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)