કડી શહેરમાં આવેલ પાણીની ટાંકી, કમળ સંકૅલની સાંમે, ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લાં ૧૩ વર્ષથી ગણપતિ બાપાની વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવે છે.ગણપતિ બાપાની ૯ દિવસ વિધિ પ્રમાણે સેવા પૂજા કરવામાં આવે છે અને રાત્રિ દરમ્યાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે જેમાં ભજન, મ્યુઝીકલ નાઇટ, નાટક ,ગરબા, સંગીત સંધ્યા ,હાસ્ય દરબાર જેવા અનેક કાયક્રમોનું સુંદર આયોજન કરવામાં આવે છે. દસમા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવે છે.
ગણપતિ બાપાનું વિસર્જન મુખ્ય સ્થળેથી વાજતે-ગાજતે ડીજેના તાલ સાથે નીકળી સિંધવાઇ માતાના મંદિર આવેલ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં ભકતોની ખુબ મોટી સંખ્યામાં ભીડ જામી હતી અને ગણપતિ બાપા મોરયા જેવા જયકારા લગાવવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)