ભદ્રેવાડી ગામથી સાકરીયા જવાનો માર્ગ દેશ આઝાદ થયો ત્યારથી બિસમાર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પઙી રહી છે. ઘણીવાર ગામ લોકોને ઈમરજન્સીમાં સારવારની જરૂર પડે ત્યારે આ કાચા રસ્તાનાં કારણે દર્દીઓને પુરતી સારવાર પણ મળતી નથી. કાંકરેજ તાલુકાના ભદ્રેવાઙી અને સાકરીયા ગામનો રોઙ અંદાજે ૫ કિલોમીટરનો છે. વર્ષોથી આ રસ્તો બિસ્માર હાલતમાં અને કાચો છે અનેકવાર આ ગામ લોકોએ આ રસ્તાનું બંન્ને ગામે મળીને પૈસા ઉઘરાવી હજારો રૂપિયાનું જાતે માટીકામ કરાવ્યું હતું પણ ૨૦૧૭નાં વિનાશક પૂરના કારણે આ રસ્તાનું ધોવાણ થઇગયું અને મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ગામનાં લોકો દ્વારા અવારનવાર રસ્તા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના અધિકારીઓ આ રસ્તાનું સર્વે વારંવાર કરીને જાય છે પણ રસ્તામાંથી રોઙ બનાવવામાં આવતો નથી તેમજ ચુંટણી આવે ત્યારે નેતાઓ અને કાર્યકર્તાઓ મોટા મોટા વાયદાઓ કરી જાય છે પણ આ ભદ્રેવાડી-સાકરીયાના રસ્તા બાબતે કઈ વિચારતા નથી અને ભોગવવાનો વારો તો ગામ લોકોને જ આવે છે. એક બાજુ સરકાર વિકાસ અને મેટ્રોની વાતો કરે છે ત્યારે આવા ભદ્રેવાડી-સાકરીયા જેવા અનેક ગામો કાંકરેજમાં આવેલા છે ત્યાં બસ આવવી તો ઠીક છે પણ પાકા રોડ પણ નથી. આ ભદ્રેવાડી સાકરીયા રસ્તાની કામગીરી જલદીથી જલદી શરૂ કરે તેમ બંન્ને ગામના લોકોની માંગણી છે. હવે જોવાનું એ રહે છે કે હવે ફરી મોટા મોટા વાયદાઓ આપશે કે પછી આ રસ્તાની કામગીરી હાથ ધરશે તે તો હવે આવનારો સમય જ બતાવ શે તે હવે જોવું રહ્યું ?..
અહેવાલઃ મોહંમદ ઉકાણી કાંકરેજ, બનાસકાંઠા
આગળની પોસ્ટ