સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ એ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે, તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પુનઃપ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાનમાં જોડાયેલી છે જેથી અહીં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરના આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શ્રૃંગાર ભગવાન સોમનાથને કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)