નડિયાદ શહેરનાં કપડવંજ રોડ પરના પ્રગતિનગર ખાતે આવેલાં પુનેશ્વર એપાર્ટમેન્ટનો એક બ્લોક ગઈકાલ રાત્રે ધરાશાયી થઈ જતાં ચાર લોકોનાં મોત થયા છે અને છ લોકો દટાયા હોવાની આશંકા છે, બે લોકોની બચાવી લેવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનાં કાર્યમાં જોડાઈ ગઈ હતી. અમદાવાદથી પણ ફાયરની ટીમને બોલાવાઈ છે જ્યારે વડોદરાથી એનડીઆરએફની ટીમ પહોંચી છે.
આ ફ્લેટ ૭૦નાં દાયકામાં બન્યો હતો અને બ્લોક દીઠ ૧૨ મકાન આવેલાં છે. મકાનોની સ્થિતિને ધ્યાનમાં રાખી મકાનો ખાલી કરી દેવા માટે તંત્ર દ્વારા પહેલાં નોટીસ આપી હોવાનું જાણવા મળ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ