રાજકોટમાં ૮ વર્ષથી માનસિક ક્ષતિવાળી દિવ્યાંગ બહેનો જેમના માતા-પિતા હૈયાત ન હોય, આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી ૪૦ દીકરીઓને વિનામુલ્યે આજીવન સાચવી અને તાલિમ આપવામાં આવે છે, જેમની રહેવા જમવાથી સર્વાંગી વિકાસ તાલિમ પ્રવૃત્તિઓ સાથે સમયાંતરે પ્રવાસ કરવાનું કાર્ય આ સંસ્થા કરે છે. આ સંસ્થાની ૩૮ દીકરીઓ, ૧૦ કર્મચારી સાથે સોમનાથ પહોંચ્યાં હતા, દર્શન પ્રસાદ ભોજન સહિતની વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી જે બદલ સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતિ શ્રી સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ