ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- ૨૦૦૩ માં જાહેર થયેલ સૂચના અન્વયે તા. ૧૦ મી જૂન થી તા. ૧૫ મી ઓગષ્ટ, ૨૦૧૭ સુધી નર્મદા જિલ્લામાં આવેલ તમામ નદી, તળાવો, જળાશયોમાં મચ્છી દ્વારા પ્રજનન કરી ઇંડા મુકતી હોવાથી મચ્છીમારી કરવી કે કરાવવા માટે બંધ સિઝન જાહેર કરેલ હોઇ, ઉક્ત સમયગાળા દરમિયાન મચ્છીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની માછીમારી સાથે સંકળાયેલ દરેક વ્યક્તિઓએ નોંધ લેવી. જો કોઇ વ્યક્તિ મચ્છીમારી કરતા, કરાવવા કે માછલી લઇ જતા પકડાશે તો ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ કાયદાની જોગવાઇ અન્વયે સજાને પાત્ર શિક્ષાત્મક/કાનુની પગલા લેવામાં આવશે, જેની નોંધ લેવા મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી, રાજપીપલા તરફથી જણાવાયુ છે.