શહેરના દરિયાપુર વોર્ડમાં આવેલા પ્રેમ દરવાજા પાસે આવેલા મ્યુનિ.ની માલિકીના રીઝર્વ રાખવામાં આવેલા પ્લોટમાં ઉભા કરવામાં આવેલા બે રહેઠાણ સહીત કુલ ૩૫ દબાણો દુર કરવામાં આવ્યા છે.મુરલીધર મંદિરની બાજુમાં આવેલા પ્લોટમાં દબાણો દુર કરવા કહેવામાં આવ્યા પછી પણ દુર કરવામાં ન આવતા એસ્ટેટ વિભાગ દ્વારા આજે બે રહેઠાણ ઉપરાંત ૩૫ જેટલા છુટક દબાણો અને બે લારીઓના દબાણ દુર કરી ૨૬૫ ચોરસમીટરના પ્લોટનો કબજો મેળવ્યો છે.આગામી સમયમાં પણ આ પ્રકારના દબાણોે દુર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.એમ તંત્રના અધિકારીનું કહેવું છે.
પાછલી પોસ્ટ