Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં વતન જવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત

પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતોમાં ઝઘડા થતા રહે છે. પરંતુ ક્યારેક આ ઝઘડાનું ગંભીર પરિણામ આવતું હોય છે. ઝઘડાથી માઠું લાગી જતા પતિ કે પત્ની પોતાનું જીવન ટૂંકાવતા હોવાની ઘટનાઓ છાસવારે બને છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડા બાદ પત્નીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
સુરતના ડભોલીની પરિણીતાનો પતિ સાથે વતન જામનગર જવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી માઠું લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે ડભોલી ભુવનેશ્વર સોસાયટી ખાતે રહેતા પરેશ શેરીયા રત્નકલાકાર છે. તેમની ૩૨ વર્ષીય પત્ની કૃપા સાથે વતન જામનગર જવા બાબતે બોલાચાલી થઇ હતી. સંતાનોનું વેકેશન હોવાથી કૃપા બાળકો સાથે વતન જવા ઇચ્છતી હતી. પરંતુ પતિએ થોડા દિવસ બાદ જવાનું કહ્યું હતું.
જે બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો.જેનું માઠું લાગી આવતા તેણીએ પોતાના ઘરે ફાંસોખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ચોકબજાર પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Related posts

ઉમરપાડા : કોંગ્રેસના એજન્ટને લાકડી અને દંડાથી માર મરાયો

aapnugujarat

રાજ્યમાં હજુ ૪૧ ટકા વરસાદની ઘટ છે

editor

તમામ બાગાયતી પાકના પોષણક્ષમ ભાવો અપાશે : જયદ્રથસિંહ પરમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1