રાજ્યની અમેઠી બેઠક ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધીની વાયનાડ બેઠકથી ચૂંટણી લડવા પર કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ચૂંટણીને લક્ષ્ય સાંધ્યુ છે. પિયુષ ગોયલે કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારનો ડર સતાવી રહ્યો છે, એટલે જ તેઓ અમેઠીથી ભાગીને વાયનાડથી ચૂંટણી લડવા ગયા છે.
ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીએ ભારતના લોકોનો વિશ્વાસ ગુમાવી લીધો છે. મને ખાતરી છે કે કેરળના લોકો પણ તેમને હરાવશે. વાયનાડથી હાર્યા પછી, રાહુલને આગામી ચૂંટણી માટે બીજા દેશના મતવિસ્તારની શોધ કરવી પડશે.
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભાની બેઠક ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પર ચૂંટણી લડશે. કેરળના વાયનાડ બેઠકથી રાહુલ ગાંધીની સામે ભારત ધર્મ સેનાના અધ્યક્ષ તુષાર વેલ્લાપાલીને એનડીએના ઉમેદવાર છે,તો અમેઠીથી રાહુલ ગાંધીનો સામનો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સાથે છે. રાહુલ ગાંધીની ચૂંટણીને વાયાનાડથી લડવા માટે, સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું અમેઠીને છોડીને બીજી અન્ય જગ્યાએથી ફોર્મ ભરવું અમેઠીનું અપમાન છે.