યોગગુરૂ બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથોમાં દેશ સુરક્ષિત છે. તેઓ જયપુર ગ્રામીણ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના સમર્થનમાં આયોજિત સભાને સંબોધિત કરી રહ્યા હતા.
વર્ષ ૨૦૧૮માં બાબા રામદેવે રાજનીતિથી અલગ રહીને ભાજપ અથવા કોઈ અન્ય પાર્ટી માટે ચૂંટણી પ્રચાર નહીં કરવાની વાત કહી હતી. આ વચ્ચે બાબા રામદેવના આ નિવેદન યુ-ટર્નના રૂપમાં દેખવામાં આવી રહ્યા છે.
વર્ષ ૨૦૧૯માં ફરી એક વાર વડાપ્રધાન મોદીને આર્શીવાદ આપવાના છે અને તેમના હાથોમાં દેશ સુરક્ષિત છે. તેમના હાથોમાં જવાનોનું ભવિષ્ય સુરક્ષિત છે. ખેડૂતોના ખેતરો સુરક્ષિત છે. શિક્ષણ તથા સ્વાસ્થ્યની સુરક્ષા છે. મા દિકરીઓની ઈજ્જતની સુરક્ષા છે. સુરક્ષા માત્ર દેશની સરહદની નહીં સમગ્ર દેશની સુરક્ષાની ગેરંટી કોઈ આપી શકે છે તો તે મોદી જ છે.
તેમણે કહ્યુ કે આ કોઈ વ્યક્તિની વાત નથી. અમે વ્યક્તિ નહીં વ્યક્તિત્વની ઉપાસના કરી છે. ચિત્ર નહીં ચરિત્રની ઉપાસના કરી છે. આ અવસર પર રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કૃતિત્વની પ્રશંસા કરી.