ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારોને વેગ આપવાનાં હેતુસર અમદાવાદ ભીમ રથ યાત્રા સમિતિ દ્વારા ૧૪મી એપ્રિલે ભવ્ય ‘ભીમ રથ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
રથ યાત્રા સવારે ૮ વાગ્યે જનતાનગર, ટોરેન્ટ પાવર પાસેથી નીકળી રખિયાલ રામીની ચાલી થઈ વોહરાના રોજા ખાતે ૧૧.૧૫ કલાકે પહોંચશે અને ત્યારબાદ અનિલ સ્ટાર્ચ બાપુનગર ખાતે ૧૧.૪૫ પહોંચશે, બપોરે ૧ વાગ્યે રામેશ્વર મંદિર ખાતે પહોંચશે, ૧.૩૦ વાગ્યે રોહિદાસ સોસાયટી કલાપીનગર થઈ ૨.૩૦ વાગ્યે ગિરધરનગર બળિયાલીંબડી, ૪ વાગ્યે આંબેડકર સ્ટૅચ્યુ પ્રેમદરવાજા સારંગપુર ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સ્ટૅચ્યુ ખાતે પૂર્ણ થશે.
રથયાત્રામાં મુખ્ય આકર્ષણરૂપે લાઈવ ડીજે, ૧૦૦ બુલેટ બાઈક, ૧ રથ ડૉ. બી.આર.આંબેડકર, ૩ હાથી, ૫ ઉંટ લારી (ભજન મંડળી માટે), ૧૦ ટ્રક (વિવિધ પ્રદર્શની માટે), ૧ ડીજે, ૫૦૦૦ ભીમ સૈનિકો અને ૧નાસિક બેન્ડ રહેશે.
સમગ્ર કાર્યક્રનું આયોજન સંદીપ શ્રીમાળી (અમરાઈવાડી), નરેશ ચાવડા (રખિયાલ), વિપુલ રાજપુરા (અસારવા), રોહન આનંદ (બાપુનગર), કરન કલાત્મીક (સરસપુર), પ્રકાશ સામેતરીયા (રાજપુર – ગોમતીપુર) દ્વારા કરવામાં આવ્યું છે.
આગળની પોસ્ટ