૨૦૧૮માં આવેલી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ’સ્ત્રી’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ હોરર કોમેડી ફિલ્મે અપેક્ષા કરતાં બહુ સારું પ્રદર્શન કર્યું હતું. ફિલ્મને સફળતા મળ્યા બાદ તરત જ એવી ચર્ચા ચાલુ થઈ ગઈ હતી કે આ ફિલ્મની સિક્વલ પણ બનવાની છે. તો હવે આ ન્યૂઝ ફાઇનલ થઈ ગયા છે. ફિલ્મ ’સ્ત્રી’ની સિક્વલ તો બની જ રહી છે પણ ફિલ્મ ’સ્ત્રી’ની સિક્વલ માટે મુખ્ય હીરો તરીકે રોલ પ્લે કરનાર રાજકુમાર રાવને વરુણ ધવન રિપ્લેસ કરી શકે છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ફિલ્મના મેકર્સ રાજકુમાર રાવની જગ્યાએ વરુણ ધવનને લાવવાની તૈયારીમાં છે. ફિલ્મ ’સ્ત્રી’માં લીડ એક્ટર તરીકે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીએ કામ કર્યું હતું. ફિલ્મની વાર્તા અને કલાકારોની એક્ટિંગ બંને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મના કેટલાંક ડાયલોગ પણ સુપરહિટ થયાં હતાં.
આ સિક્વલને લઇને સમાચાર તો એવાં પણ આવી રહ્યાં છે કે આ માટે ફિલ્મ નિર્માતાઓ વરુણને ઘણીવાર મળ્યાં છે. પણ હજી સુધી ફિલ્મમાં વરુણ ધવનને લેવાનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યું. વરુણ ધવન એવો એક્ટર છે જે દરેક જોનરની ફિલ્મ કરી રહ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ