Aapnu Gujarat
ગુજરાત

હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છુંઃ હાર્દિક પટેલ

કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં પાટીદાર આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હતો. હાર્દિક કોંગ્રેસમાં જોડાતા જ એક સમયના હાર્દિકના સાથી અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે હાર્દિકે સમાજ સાથે દ્રોહ કર્યો છે, હવે હાર્દિકમાં તાકાત હોય તો ૫,૦૦૦ પાટીદારો ભેગા કરી બતાડે. લાલજી પટેલના આક્ષેપો પર પ્રતિક્રિયા આપતા ક્રોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છું, મેં સમાજ સાથે કોઈ દ્રોહ નથી કર્યો.
બુધવારે હાર્દિક પટેલે જણાવ્યું, હું કોંગ્રેસ પાર્ટીની વિચાર ધારા સાથે જોડાયેલો છું, પાટીદાર સમાજ સાથે મેં કોઈ દ્રોહ કર્યો નથી. જો લાલજી પટેલને લાગતું હોય તો તે સમાજ માટે કામ કરે. અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારને અમે બનતી મદદ કરી છે. મહેસાણાના પરિવારના એક સભ્યને અમે નોકરી પણ આપી છે.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો ત્યારબાદ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, અને નીતિન પટેલે પણ નિવેદનો આપ્યા હતા કે હાર્દિક પહેલાંથી જ કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો હતો અને તેણે પાટીદાર આંદોલનના માધ્યમથી રાજ્યમાં સામાજિક સમરસતા ખોરવવાનું અને શાંતિ ડહોળવાનું કામ કર્યુ હતું.

Related posts

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘સફળતાના સુદૃઢ સોપાનો (Sure Steps to Success)’ વિષય ઉપર ૮૮મું પ્રવચન યોજાયું

aapnugujarat

વડોદરા જિલ્લાના મેલેરિયા ભયગ્રસ્ત ગણાતા ૨૦ ગામોમાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવાયો

aapnugujarat

શ્રીદેવીના નિધનથી દેશને બહુ મોટી ગંભીર ખોટ પડી : વિવેક ઓબેરોય : અમદાવાદના ૬૦૮માં જન્મદિનને લઇ ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1