Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૨૮મી ફેબ્રુઆરી સુધીના ગાળામાં માત્ર ૨૮ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૩૦૬, કમળાના ૧૧૫, ટાઈફોઈડના ૧૬૧ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૨૭ અને ડેન્ગ્યુના ૧૪ કેસ સપાટી પર આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૭૬૬૭ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં હજુ સુધી ૮૩૬૨૭ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ફેબ્રુઆરી ૨૦૧૮માં ૨૨૨૭ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ૨૮મી ફેબ્રઆરી સુધીમાં ૧૮૧૮ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. હજુ પણ સિઝનલ રોગને રોકવાના પ્રયાસો જારી છે જેના ભાગરુપે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે.

Related posts

અમદાવાદ શહેર-જિલ્લા માટે ૩૪૨ ઉમેદવારના ફોર્મ મંજુર

aapnugujarat

સ્ટાફ નર્સોને પ્રતિષ્ઠાની એમ્બેસેડર બનવાના અનુરોધ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યાં નિમણૂકપત્ર

aapnugujarat

કંબોઈ ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1