Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકાના કમીજલા ખાતે સેનવા રાવત સમાજનો સત્કાર સમારંભ યોજાયો

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમીજલા મુકામે ગુજરાત રાવત સમાજ સંઘ તથા શ્રી સેનવા રાવત સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં અતિ પછાત જ્ઞાતિ વર્ગના અમદાવાદ જિલ્લાના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાધાબેન મનજીભાઈ સેનવા, વિરમગામ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન લાભુબેન હરીભાઇ મકવાણા સહિત સેનવા રાવત સમાજના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, ગૌતમભાઇ ગેડીયા, કનુભાઈ પટેલ, આર સી પટેલ, દિલીપભાઇ પટેલ, કિરીટસિંહ ગોહીલ, મફાભાઇ ભરવાડ સહીત સેનવા રાવત સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેરોજગાર યુવાનોને ડાઉન પેમેન્ટ વગર ગાડી આપવા નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનજીભાઈ સેનવા, ગાભુભાઇ સેનવા, કિરીટભાઈ સેનવા સહિતના સેનવા રાવત સમાજના લોકોએ જહેમત ઉઠાવી હતી.
રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાએ પોતાના પ્રવચનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને બેરોજગાર યુવાનોને ડાઉન પેમેન્ટ વગર ગાડી આપવાની કામગીરીની પ્રસંસા કરી હતી.
ગૌતમભાઇ ગેડીયાએ જણાવ્યું હતું કે, દલિત સમાજનાં યુવાનોની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. ૨૦૧૯ની લોકસભાની ચુંટણીના નગારે ઘા વાગી ગયા છે ત્યારે ભાજપને મત આપજો. સરકારની નીતિ અતિ પછાત સમાજના લોકો માટે સાફ છે. સૌનો સાથ સૌનો વિકાસ ભાજપનો મંત્ર છે.

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી

aapnugujarat

बारिश के कारण ३ नेशनल, १५ स्टेट हाईवे , समेत ३२३ रास्ते बंद

aapnugujarat

ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે : પરેશ ધાનાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1