કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન એનડીએના રાજ્યસભાના સભ્ય બનશે. પાસવાન આગામી મે માસમાં પોતાનું નામાંકન કરશે.
હકીકતમાં રાજ્યસભામાં પૂર્વ પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને સંતોષ કુજૂરનો કાર્યકાળ આગામી મે માસમાં પુરો થાય છે. ડૉ. મનમોહન સિંહ વર્તમાનમાં આસામની સીટથી રાજ્યસભાના સભ્ય છે. તેમના કાર્યકાળ બાદ કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન આસામથી એનડીએના સભ્ય તરીકે મેદાનમાં ઉતરશે.
આ વિશેષ માહિતી આસામ એલજેપીના પ્રભારી સોનમળી દાસે આપી હતી. આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય પ્રધાન પાસવાન એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એલજેપી કેન્દ્રની એનડીએ સરકારમાં મહત્વના સાથીદાર છે. રામવિલાસ પાસવાન વર્તમાનમાં કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય પ્રસંસ્કરણના પ્રધાન છે.