તૃણમુલ કોંગ્રેસ દ્વારા મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળની મોડર્ન ઝાંસીની રાણી ગણાવતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ તીખી પ્રતિક્રિયા કરી છે.
ગિરિરાજ સિંહ જણાવ્યું હતું કે, તેમને ઝાંસીની રાણી ગણાવવી એ લગભગ ઝાંસીની રાણીને ગાળ આપવા બરોબર છે. તેઓ એક પુતના હોઇ શકે છે, ઝાંસીની રાણી નથી. તેઓ કિમ જોંગ ઉન છે.ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, મમતા બેનરજી કિમ જોંગ ઉન જેવા છે. તેઓ તેમની આલોચના કરનારને કિમ જોંગ ઉનની જેમ મરાવી નાંખે છે.
સિંહે જણાવ્યું હતું કે, આપણા દેશમાં પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે, જ્યાં લોકશાહી હાજર નથી. ત્યાં તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવનારનો અવાજ દબાવવામાં આવે છે.
અગાઉ મંગળવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સીબીઆઇ અને કોલકાતા પોલીસ વચ્ચે થયેલા વિવાદને ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, સીએમ મમતા બેનરજી સુપર નોટંકી માસ્ટર છે.