Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંરક્ષણ ફાળવણીમાં ફરીથી વધારો કરાય તેવી સંભાવના

બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સંરક્ષણ ફાળવણીમાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે. અલબત્ત સરકાર વચગાળાનુ બજેટ રજૂ કરનાર છે છતાં તેમાં કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી શકે છે. આના ભાગરૂપે વચગાળાના બજેટમાં સંરક્ષણ ફાળવણીને વધારી દેવા માટે કેટલાક કારણો રહેલા છે. હાલમાં ત્રાસવાદી હુમલામાં સતત વધારો થયો છે. જેથી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં લઇને કેટલીક નવી જોગવાઇ કરવામાં આવી શકે છે. બીજી બાજુ પેન્શનબિલમાં પણ વધારો કરવામાં આવી શકે છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ હતુ કે સંરક્ષણ મંત્રાલય અન્ય કેટલાક મહત્વના પગલાની માંગ કરી રહ્યુ છે. નાણાં મંત્રાલય સમક્ષ તેના દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે. કેટલાક પ્રોજેક્ટ સમયસર હાથ ધરી શકાયા નથી જેથી વધારે ફંડની માંગ કરવામાં આવી છે. વન રેન્ક વન પેન્શન કારણે પણ સરકાર પર વધારે બોજ આવી ગયો છે. આ યોજના મોદી સરકાર અમલી બનાવી ચુકી છે. સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ ફાળવણી કેટલી રહેશે તે સંબંધમાં વધારે માહિતી મળી શકી નથી. દુનિયાના તમામ દેશો તાજેતરના સમયમાં સંરક્ષણ બજેટમાં વધારો કરી રહ્યા છે. ભારતમાં તાજેતરના સમયમાં ત્રાસવાદી હુમલા વધી રહ્યા છે ત્યારે સંરક્ષણ ફાળવણીને વધારી દેવામાં આવે તે જરૂરી છે. નાણાં પ્રધાન તરીકેની જવાબદારી હાલમાં સંભાળી રહેલા પિયુશ ગોયલ દ્વારા પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. બજેટમાં વર્તમાન વૈશ્વિક સ્થિતી અને ખાસ કરીને પડોથી દેશ ાાકિસ્તાન અને ચીનની હિલચાલને ધ્યાનમાં લઇને બજેટમાં નવી જોગવાઇ કરવામાં આવી શકે છે. હાલમાં પાકિસ્તાન અને ચીન તરફથી સરહદ પર કેટલીક જટિલ સ્થિતી ઉભી કરવામાં આવી રહી છે. અરૂણ જેટલી હાલમાં સારવારના ભાગરૂપે અમેરિકામાં છે. જેથી નાણાં પ્રધાન તરીકેની જવાબદારી પિયુશ ગોયલ સંભાળી રહ્યા છે. ગોયલ દ્વારા જ બજેટ રજૂ કરવામાં આવનાર છે. તેઓ કેટલીક બેઠકો પણ યોજી ચુક્યા છે. મોદી સરકાર તેની અવધિનુ છઠ્ઠુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. જેથી તેને વચગાળાના બજેટના બદલે પૂર્ણ બજેટ તરીકે રજૂ કરવાની સરકાર ગણતરી કરી રહી છે. તમામ વર્ગના લોકો માટે કેટલીક જાહેરાત ચોક્કસપણે કરવામાં આવી શકે છે. વર્તમાન સરકાર દ્વારા આ છઠ્ઠુ બજેટ રજૂ કરવામાં આવનાર છે જેમાં મધ્ય વર્ગ માટે ટેક્સ રાહતો જાહેર કરાશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા ઉપર ધ્યાન અપાશે. નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલા પીયુષ ગોયેલ માટે અનેક પડકારો રહેલા છે. ઇન્કમ ટ્રાન્સફર સહિત જુદા જુદા વિકલ્પ સાથે કૃષિ પેકેજ ઉપર વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત વધુ ઉદાર લઘુત્તમ સમર્થન મૂલ્ય સ્કીમ જાહેર થઇ શકે છે. ઉપરાંત પાર્ટ લોન માટે વ્યાજ માફીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. અન્ય પગલા ઉપર પણ ચર્ચા ચાલી રહી છે. વચગાળાના નાણામંત્રી પીયુષ ગોયેલ પણ વિવિધ પગલાનો સંકેત આપી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ ખેડૂતોની તકલીફ દૂર કરવા પગલા લેવાશે. આવક આધાર માટે પણ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.

Related posts

राजनाथ सिंह का राहुल गांधी पर तंज : मैं उनसे ज्यादा कृषि के बारे में जानता हूं

editor

દેશમાં કોરોનાએ રફ્તાર પકડી : ૨૪ કલાકમાં ૪૭,૦૦૦ નવા કેસ

editor

કોઇ પણ નાગરિકને ઉની આંચ પણ ન આવે તેની જવાબદારી અમારી : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1