Aapnu Gujarat
ગુજરાત

અર્બુદા માતાજીની જ્યોતયાત્રા ૮મીએ મહેમદાવાદ પહોંચશે

માઉન્ટ આબુ ખાતે આવેલા સુપ્રસિધ્ધ અધર દેવી એટલે કે, અર્બુદા માતાની અખંડ જયોતને જયોત સ્વરૂપે હવે ગુજરાતમાં મહેમદાવાદ ખાતેના સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે પધરાવવામાં આવશે અને મા અર્બુદાની સુંદર મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ માટે તા.૨૯મી જાન્યુઆરીથી માઉન્ટ આબુ ખાતેથી પ્રારંભ થયેલી અર્બુદા માતાની ભવ્ય જયોત યાત્રા અમદાવાદ શહેરમાં આવી પહોંચી હતી અને શહેરના નરોડા, બોપલ, વાસણા, મણિનગર અને વસ્ત્રાલ વિસ્તારોમાં પરિભ્રમણ કરતી આવતીકાલે તા.૮મી ફેબ્રુઆરીએ મહેમદાવાદ ખાતે શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે પહોંચશે. જયાં વિધિવત્‌ રીતે શ્રી અર્બુદા માતાજીની પવિત્ર જયોતને પધરાવી અહીં પ્રજ્વલિત રખાશે. એ પછી તા.૯, ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી રોજ ત્રણ દિવસનો અર્બુદા માતાજીની ભવ્ય મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. મા અર્બુદાના આ ભવ્ય મહોત્સવમાં રાજયભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે એમ અત્રે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) અને અર્બુદા ટેમ્પલ કમીટીના ચેરમેન નરેન્દ્રભાઇ પુરોહિત અને સુરેશભાઇ પુરોહિતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) દ્વારા ગત તા.૧૩ મી ડિસેમ્બરના રોજ મંદિર પરિસરમાં શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના કુળદેવી શ્રી અર્બુદા માતાજીના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના કુળદેવી અર્બુદા માતાજી મહેમદાવાદ ખાતેના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે બિરાજમાન કરવા ત્યાં ભવ્ય મંદિરના નિર્માણનું આયોજન હાથ ધરાયું છે. આ માટે શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રહ્મ સમાજ સિવાય ત્રણગામ, સાત ગામ, મુંબઈ સમાજ, સંતરામપુર ગોળ તમામે તમામ જ્ઞાતિજનોએ આ કાર્યને ભકિતભાવ સાથે પાર પાડવા પૂરો સહયોગ સાથે આગળ આવ્યા છે. મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ બાદ ગત તા.૨૯મી જાન્યુઆરીના રોજ માઉન્ટ આબુમાં સમાજના કુળદેવી શ્રી અર્બુદા માતાના તીર્થક્ષેત્ર અને પીઠ સ્થાન ખાતેથી જ્યોત સ્વરૂપે માતાજીની જ્યોત યાત્રા રથમાં નીકળી હતી. જે ગુજરાતના વિવિધ ૨૨ ગામોમાં ફરી હતી. માતાજીની આ ભવ્ય જયોતયાત્રા અમદાવાદમાં પાંચ દિવસ પરિભ્રમણ કર્યા બાદ હવે આવતીકાલે તા.૮ મી ફેબ્રુઆરીના રોજ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન,મહેમદાવાદ ખાતે પહોંચશે, જયાં શ્રી અર્બુદા માતાજીની જ્યોત બિરાજમાન કરીને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) અને અર્બુદા ટેમ્પલ કમીટીના ચેરમેન નરેન્દ્રભાઇ પુરોહિત અને સુરેશભાઇ પુરોહિતે ઉમેર્યું કે, તા.૯થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન(મહેમદાવાદ) ખાતે શ્રી અર્બુદા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, જેમાં અંદાજે ૨૫ હજાર શ્રધ્ધાળુઓ ઉમટશે. તમામ ભકતોની સુવિધા અને પ્રસાદી માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયા છે.
માઉન્ટ આબુ ખાતેના અધર દેવી એટલે કે, અર્બુદા માતાના અસલ મંદિરના દર્શન માટે ૩૩૩ પગથિયા ચઢીને જવું પડે છે, જે વૃધ્ધજનો, અશકત અને બિમાર સહિતના લોકો માટે ઘણું કપરૂ બનતું હતુ, તેથી માતાજીની અસલ જયોતને હવે ગુજરાતમાં લાવી મહેમદાવાદ સ્થિત શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે અર્બુદા ધામ ખાતે પધરાવવામાં આવશે. અર્બુદા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય મંદિર નિર્માણ પણ ગુજરાતની જનતાને માં અર્બુદા આપણી ધરતી પર દર્શન આપશે.

Related posts

મતગણતરીને લઇ તંત્ર દ્વારા ચોકસાઇ : ઉત્સુકતા વધી છે

aapnugujarat

दुनिया का पहला लग्जीरियस ‘क्रिप्टो’ क्रूज शिप होगा कबाड़ में तब्दील, गुजरात आने के लिए हुआ रवाना

editor

૨૮ લાખના નિકલ ધાતુની ચોરી કેસનો આરોપી ઝબ્બે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1