પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાના કોંગ્રેસ મહાસચિવ બનાવવા પર રાહુલ ગાંધીએ કહ્યુ કે મે પ્રિયંકાને કહ્યુ છે કે તે જ્યારે પણ પોતાનુ પદ સંભાળે તો સૌથી પહેલા અમેઠી આવીને લોકોને મળે. તેમને દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં આગલી સરકાર કોંગ્રેસ પાર્ટી જ બનશે.રાહુલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે હું ખોટુ બોલતો નથી. જે બોલુ છુ તે જ કરુ છુ. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાનનું નામ લઈને ખોટુ બોલે છે. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદી નફરત અને ક્રોધની ભાવનાનું ચિન્હ છે.રાહુલે ત્યાં આવેલા લોકોને પૂછ્યુ કે તમને અત્યાર સુધી ૧૫ લાખ રૂપિયા મળ્યા. રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છેના નારા પણ લગાવ્યા. રાહુલ ગાંધીએ રાયબરેલીના લોકોને વચન આપ્યુ કે અહીં ફૂ઼ડપાર્ક બનાવવામાં આવશે. તેમણે કહ્યુ કે અહીં ૧૦૧ ટકા ફૂડપાર્ક બનશે જ.