Aapnu Gujarat
મનોરંજન

‘ઠાકરે’ જોડે રીલીઝ થશે ‘મણિકર્ણિકા’, કંગનાએ કર્યો ખુલાસો

બૉલીવુડમાં પોતાની ફિલ્મને સ્પેશિયલ ડેટ પર રિલીઝ કરવાનો ક્રેઝ હંમેશાં પહેલાથી રહ્યો છે. આવું જ કંઇક ૨૫ જાન્યુઆરીએ પણ જોવા મળી શકે છે, જેમાં બોલીવુડની અમુક મોટી ફિલ્મો આ સ્પેશિયલ દિવસે પોતાની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.
પરંતુ શિવસેના સુપ્રીમો બાબા સાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ને વધારે પ્રશંસકો જોવા જાય ત્યારે શિવસેનાએ આ ફિલ્મને સિંગલ રિલીઝ અપવાવાની કોશિશો શરૂ કરી દીધી છે. તેના કારણે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહેલી ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’એ પોતાની રિલીઝ ડેટ એક અઠવાડિયા પાછળ ખસેડી દીધી છે. પરંતુ તેમ છતાં ઠાકરેને ટક્કર આપવા માટે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે.
બુધવારે મુંબઇમાં આ ફિલ્મને ખુબ જ સ્પેશિયલ અંદાજમાં મ્યૂઝિક લૉંચ કરવામાં આવ્યું હતું. આ લૉંચના પ્રસંગે કંગના રનૌતે સ્પષ્ટ કરી દીધું કે અત્યાર સુધી મારી રિલઝ જેટ ચેન્જ કરવા માટે તેમનો કોઇએ સંપર્ક કર્યો નથી. કંગનાએ એવું પણ સ્પષ્ટ કરી દીધું કે આ દિવસ એટલો મોટો છે કે સરળતાથી બે ફિલ્મો એક સાથે રિલીઝ થઇ શકે છે.
પોતાની મ્યૂઝિક ઇવેન્ટમાં એક વેબ પોર્ટલ સાથે કંગનાએ જણાવ્યું કે, મને હજી સુધી કોઇએ મારી ફિલ્મની રિલીઝ ડેટ શીફ્ટ કરવાની વાત કરી નથી, પરંતુ મારી પાસે કોઇ પહોંચ્યું જ નથી. આ એક મોટો દિવસ છે અને બે ફિલ્મો ખુબ જ સરળતાથી આ દિવસે રિલીઝ થઇ શકે છે. અમારા ઉપર કોઇ દબાણ નથી.

Related posts

અમિતાભ બચ્ચનને એફઆઈએફ એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવશે

editor

હસીના ફિલ્મ માટે શ્રદ્ધા કપુરે ૮ કિલો સુધી વજન વધાર્યુ

aapnugujarat

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1