કેન્દ્ર સરકાર લોકસભામાં ગ્રાહક સંરક્ષણ બિલ પાસ થયા બાદ ઈ-કોમર્સ કંપનીઓ પર લગામ કસવાની તૈયારીમાં છે. ખરેખર, ઑનલાઇન વિક્રેતાઓ માટે નવા નિયમ જાહેર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવ મુજબ ઈ-કોમર્સ કંપનીઓને પૈસા વાપસી, સામાન વાપસી, સામગ્રી ફેરફાર જેવી તમામ નીતિઓને ગ્રાહક સમક્ષ સ્પષ્ટ કરવી પડશે. સાથે જ ગ્રાહકોની ફરિયાદ દૂર કરવા સારું તંત્ર બનાવવુ પડશે. જો કંપનીઓ નિયમોનું પાલન કરશે નહીં તો દંડની જોગવાઈ છે.
લોકસભામાં પાસ થયેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે અલગ જોગવાઈ છે. સરકારને આશા છે કે આ ટૂંક સમયમાં રાજ્યસભામાં પાસ થઇ જશે, કારણકે વિરોધી પાર્ટીઓ પણ તેના સમર્થનમાં છે. સેક્રેટરી અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે નવા નિયમનો ડ્રાફ્ટ તૈયાર છે, જેવી રીતે બિલને સંસદ તરફથી મંજૂરી મળશે કે તરત જ સામેલ જોગવાઈ હેઠળ નવા નિયમ જાહેર કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે નવા નિયમોમાં તમામ ભાગીદારો પાસેથી સલાહ લઇને વ્યાપક બનાવવામાં આવ્યું છે. એવો કોઇ પહેલુ નથી કે જે નજરઅંદાજ થયો હોય. આ બિલ હેઠળ ઈ-કોમર્સ કંપનીઓની પ્રક્રિયામાં ફેરફાર માટે છે. જે હેઠળ ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન ચાર સ્તર પર થશે.
ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકના કસ્ટમર કેર, ફરિયાદ સમાધાન અધિકારી, અપીલ અધિકારી અને ચોથો ગ્રાહક સુરક્ષા જોગવાઈને સુવિધા મળશે. જો એવું જણાવવામાં આવ્યું કે ઈ-કોમર્સ કંપનીએ જાણીજોઇને ગ્રાહકની ફરિયાદને નજરઅંદાજ કરી તો દંડ પણ થશે.