Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં તમામ વિદ્યુત મીટરોને ત્રણ વર્ષમાં સ્માર્ટ પ્રિપેઇડમાં રૂપાંતરિત કરાશે

જો તમને તમારા વીજળીના બિલથી મુશ્કેલી થાય છે, તો આ સમાચાર તમારા માટે છે. ટૂંક સમયમાં તમારા ઘરમાં વીજળીનું બીલ નહીં આવે અને આવતા વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૧૯માં તેની શરૂઆત થઇ જશે. તમામ વીજળી મંત્રાલયે નિર્ણય કર્યો છે કે તેઓ આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં તમામ મીટરોને સ્માર્ટ પ્રીપેડમાં બદલી નાખશે. વીજ મંત્રાલયના આ નિર્ણયનું લક્ષ્ય વીજળીના પ્રસારણ અને વિતરણમાં નુકસાન ઘટાડવાનું છે. આ સાથે, વિતરણ કંપનીઓની પરિસ્થિતિ સારી રહેશે અને ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. પેપર બિલની ગોઠવણીના અંત સાથે, બિલ ચુકવણી પણ સરળ થઇ જશે.
સરકારના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટ મીટર ગરીબના હિતમાં છે કારણ કે ગ્રાહકોને એક મહિનામાં સંપૂર્ણ મહિનાનું બિલ ચૂકવવાની જરૂર નથી. તેના બદલે તેઓ તેમની જરૂરિયાતો અનુસાર બિલ ચૂકવી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ પ્રીપેઇડ મીટર્સના ઉત્પાદનમાં મોટા પાયે યુવાનો માટે નોકરીની તક પણ ઊભી થશે.
રાજ્ય સરકારે તમામ માટે વીજળી દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે અને સાત દિવસ માટે ૨૪ કલાક તેમના ગ્રાહકોને વીજળી પૂરી પાડવા સહમતિ બતાવી હતી. આ હેઠળ, એપ્રિલ ૨૦૧૯થી સાત દિવસમાં અથવા પહેલા ગ્રાહકોને સાત દિવસ ૨૪ વીજળી ઉત્પન કરાવાની જોગવાઈ રહેશે.
તમામ સ્માર્ટ મીટર્સ પાવર કોર્પોરેશનમાં બનેલા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. કર્મચારી સૉફ્ટવેર દ્વારા કંટ્રોલ રૂમમાંથી મીટર રીડિંગ નોટ કરી શકશે. આ ઉપરાંત, જો કોઈ મીટર સાથે ચેડા કરશે, તો સંકેત કંન્ટ્રોલ રુમમાં મળી આવશે. જો ગ્રાહક સમયસર વીજળી બિલ ચૂકવતો નથી, તો તેના મીટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. આ માટે, ગ્રાહકોના ઘરે જવાની જરૂર નથી.

Related posts

दिल्ली में बच्ची से निर्भया जैसी दरिंदगी, पिता बोले- बोल नहीं पा रही बिटिया

aapnugujarat

1 Naxal woman killed in encounter with Security forces in Sukma

aapnugujarat

PM મોદી બિહારથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1