સ્ટાર બેન્ડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને પી. કશ્યપ શુક્રવારે લગ્નગ્રંથિમાં જોડાયા હતા. આ બન્ને જણાએ હાલ કોર્ટ મેરેજ કર્યા છે, મુહૂર્ત અનુસાર, વિધિ-વિધાનથી લગ્ન અને રિસેપ્શન પાર્ટી ૧૬ ડિસેમ્બરે યોજાશે.
સાઇનાએ પતિ કશ્યપની સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને જાહેરાત કરતા લખ્યું કે, મારી જિંદગીની સૌથી સારી ચૂંટણી! તમને જણાવી દઇએ કે, ૧૦ વર્ષના લાબા સમયના રિલેશનશિપ પછી સાઇના નેહવાલ અને પી. કશ્યપે આ વર્ષે પોતાના સંબંધની વાતને સ્વીકારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કપલના લગ્નને લઇને પહેલા અહેવાલ આવ્યા હતા કે ૧૬ ડિસેમ્બરે તેમના લગ્ન થવાના છે, પરંતુ સાઇનાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પરથી બે દિવસ પહેલા કોર્ટ મેરેજની જાહેરાત કરીને તમામ લોકોને સરપ્રાઇઝ કર્યા હતા.હૈદરાબાદના રહેવાસી બન્ને બેડમિન્ટન સ્ટાર એક દશકથી રિલેશનશિપમાં હતા, પરંતુ તેઓ પોતાનો સંબંધ છૂપાવવામાં સફળ રહ્યા હતા, કારણ કે તેઓ ઘણી વખત કિદામ્બી શ્રીકાંત, એચ.એસ.પ્રણય અને ગુરુ સાઇ દત્તની સાથે નજરે પડતા હતા. જો કોઇને એમ લાગતું હતું કે તેમની વચ્ચે અફેયર છે તો આ કપલે ક્યારેય પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી કે ન તો પુષ્ટિ કરી છે.સાઇનાની જાહેરાતના એક દિવસ પહેલા એટલે કે ૧૩ ડિસેમ્બરે પહલવાન વિનેશ ફોગાટ અને સોમવીર રાઠીએ લગ્ન કર્યા હતા. દીપિકા પલ્લીકલ-દિનેશ કાર્તિક, ઇશાંત શર્મા-પ્રતિમા સિંહ અને પહલવાન ગીતા ફોગાટ-પવન ફોગાટ અને સાક્ષી મલિક-સત્યવ્રત કાદિયાન તેમાંથી અમુક નામ છે.કશ્યપની સાથે પોતાના રિલેશનની વાત કરતા સાઇનાએ જણાવ્યું હતું કે, તે બન્ને ૨૦૦૭-૦૮થી વિદેશી ટૂર પર સાથે જવા લાગ્યા હતા. અમે સાથે ટૂર્નામેન્ટ રમી, ટ્રેનિંગ લીધી અને ધીરે ધીરે એક બીજાની મેચ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દીધું. એક બીજાની મેચ વિશે વાત કરતા કરતા બન્નેના દિલમાં એક બીજા માટે ફિલિગ્સ આવવાની શરૂઆત થઇ ગઇ. સાઇનાએ વધુમાં જણાવ્યું કે, અમે લગ્ન વિશે વિચાર્યું નહોતું કારણ કે અમે બન્ને જણા અમારા કરિયરને લઇને વ્યસ્ત રહેતા હતા. અમારા માટે ટૂર્નામેન્ટ જીતવી જરૂરી હતી, એટલા માટે અમે બન્ને જણા અમારું ધ્યાન લગ્ન પર કેન્દ્રિત કરતા નહોતા.