Aapnu Gujarat
તાજા સમાચાર

શેરબજારમાં મંદી ઉપર બ્રેક : ૩૭૩ પોઇન્ટ સુધી સુધારો

શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે છેલ્લાં ત્રણ કારોબારી સેશનથી ચાલી રહેલી મંદી ઉપર બ્રેક મુકાઈ હતી. આજે કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકા ઉછળીને બંધ રહ્યો હતો. ખાનગી બેંકો અને એફએમસીજીના શેરમાં તેજી રહી હતી. એસએન્ડપી બીએસઈ સેંસેક્સમાં આજે ૩૭૩ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૩૫૪ રહી હતી. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૨ પોઇન્ટ ઉછળીને ૧૦૬૨૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૪૮૯૦ની સપાટી રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪૩૨૯ની સપાટી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૨.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. ડાબર ઇન્ડિયા, કોલગેટ અને હિન્દુસ્તાન યુનિલીવરના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ભારતી એરટેલના શેરમાં ૨.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. આજે સોમવારના દિવસે ડોલર સામે રૂપિયાની સ્થિતિ મજબૂત રહી હતી. વૈશ્વિક શેરબજારમાં પણ તેજી રહી હતી. તેલ કિંમતો અગાઉના સેશનની સરખામણીમાં વધુ ઘટી હતી. જો કે, હજુ બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિબેરલ ૬૦ ડોલરથી ઉપર છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ઉંચી સપાટીએ રહ્યો છે પરંતુ સીપીઆઈ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે. બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. હવે નવા સપ્તાહમાં નવેમ્બર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની ગુરુવારે થનારી પૂર્ણાહૂતિ ઉપર નજર કેન્દ્રીત થઇ છે. દલાલ સ્ટ્રીટમાં હાલ રોકાણકારો વધુ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અન્ય વૈશ્વિક પરિબળો પણ અસર કરી શકે છે. બીજી બાજુ સ્થાનિક મોરચે ભારતના જીડીપીના આંકડા પણ બજારની દિશા નક્કી કરી શકે છે. શુક્રવારના દિવસે ભારત બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ઉંચી તેલ કિંમતો, ડોલર સામે રૂપિયામાં ઘટાડા અને દેશના સ્થાનિક માર્કેટમાં નાણાંકીય મજબૂતીની અસર પણ તેના ઉપર જોવા મળશે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે.
સતત સાતમાં સપ્તાહમાં તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં સૌથી નીચી સપાટી જોવા મળી હતી. તેમાં આઠ ટકા સુધીન ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ભારતીય બજારમાં આ પ્રકારની સ્થિતિના લીધે એફપીઆઈ દ્વારા ફરી એકવાર નાણાં ઠાલવવામાં આવી રહ્યા છે.

Related posts

एलओसी पर पांच साल में २,२२५ बार हुआ सीजफायर उल्लंघन

aapnugujarat

11 अक्तूबर को भारत आएंगे चीनी राष्ट्रपति जिनपिंग

aapnugujarat

जेटली की हालत नाजुक, ECMO पर रखा गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1