Aapnu Gujarat
બ્લોગ

જ્યારે યુવતીએ કહી દીધું કે ભયભીત કરે તે નહીં પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ

ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા પુર્ણ થયા પછી અનેક વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઇ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પરિણામ ખરાબ આવવાની સતત ચિંતા કરી રહ્યા છે ત્યારે શ્વેતા નામની વિદ્યાર્થીની ધોરણ ૧૨ના બોર્ડની પરિક્ષાના પરિણામની ચિંતા કર્યા વગર ઉનાળુ વેકેશનની મજા માણી રહી છે. શ્વેતા તેના મિત્રોને પણ સમજાવતા કહે છે કે પરિક્ષામાં આપણે જેવું લખ્યું હશે તેવું જ પરિણામ આવશે અને આપણે અત્યારે ગમે તેટલી ચિંતા કરીએ તો પણ આપણે લખેલા પેપરનો એક પણ શબ્દ આપણે બદલી શકવાના નથી, તો ખોટી પરિણામની ચિંતા કરીને વેકેશનની મજા બગાડવી ન જોઇએ. શ્વેતાની વાત સાંભળીને તેના મિત્રો કહે છે કે તારાં પેપર સારાં ગયા છે એટલે તને બોર્ડનાં પરિણામની ચિંતા ન હોય પરંતુ અમને તો પાસ થવામાં પણ શંકા છે. શંકા કુશંકાનો હવે કોઇ અર્થ રહેતો નથી વાંચવાનો સમય હવે નીકળી ગયો છે અને હવે તમે પરિણામની વ્યર્થ ચિંતા કર્યા કરો છો તેમ શ્વેતાએ જણાવ્યું પરંતુ હવે અમે શું કરી કરીએ તેવો મિત્રોએ પ્રશ્ન કર્યો ત્યારે શ્વેતાએ જણાવ્યુ કે, પરિણામ જે આવે તે સ્વીકારવું પડશે અને ભવિષ્યમાં અભ્યાસ પર પુરતું ધ્યાન આપવું પડશે. શ્વેતાનાં સમજાવવાનાં કારણે બધાં મિત્રો પરિણામની ચિંતા કર્યા વગર વેકેશનની મજા માણવાની શરૂ કરે છે. થોડા દિવસો પછી ધોરણ ૧૨નું બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થાય છે અને હંમેશાની જેમ શ્વેતા ધોરણ ૧૨ની પરીક્ષામાં સમગ્ર શાળામાં અવ્વલ આવે છે અને શ્વેતાના પરિવારમાં આનંદ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. પરિવારનાં સભ્યો દ્વારા મિઠાઇ વહેંચવામાં આવી રહી છે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે શ્વેતાનાં તમામ મિત્રો પણ બોર્ડની પરિક્ષામાં પાસ થઇ જાય છે એટલે શ્વેતાની ખુશી બેવડાઇ જાય છે. બોર્ડની પરિક્ષામાં ઉત્તમ પરિણામ મેળવીને શ્વેતા આગળના ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં આવેલી જાણીતી કોલેજમાં પ્રવેશ મેળવે છે પરંતુ શ્વેતાના શાળાના મિત્રોને આ કોલેજમાં પ્રવેશ મળતો નથી અને તેઓને અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવો પડે છે.
ભલેને અલગ અલગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય પરંતુ શ્વેતા તેનાં શાળાનાં મિત્રો સાથે પહેલા જેવો જ ગાઢ સંબધ રાખે છે. થોડા દિવસોમાં શ્વેતા ગામડાનાં માહોલમાંથી બહાર આવીને શહેરમાં રહેતા પોતાનાં નજીકનાં સંબધીના ઘરે રહેવા માટે આવી જાય છે અને શહેરમાં રહીને જ કોલેજનો અભ્યાસ કરી રહી છે. શ્વેતા કોલેજમાં નિયમિત અભ્યાસ કરી રહી છે અને કેમ્પસમાં ભાગ્યે જ જોવા મળે. શ્વેતા ક્લાસરૂમ થી ઘરે અને ઘરે થી સીધી ક્લાસરૂમમાં પહોંચી જાય છે. શ્વેતા નિત્યક્રમ પ્રમાણે કોલેજમાં આવીને અભ્યાસ કરે છે અને નવરાશના સમયે ઘરકામમાં મદદરૂપ બની રહી છે. એકદમ સરળ અને શાંત સ્વભાવની શ્વેતા કોઇના પ્રેમમાં આસાનીથી પડી જાય તેમ નથીે પરંતુ શ્વેતાની જ કોલેજના બે યુવકોને શ્વેતા ખુબ જ ગમી જાય છે અને તે બંન્ને યુવકો શ્વેતાનો પ્રેમ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી બાજુ આ વાત થી શ્વેતા સાવ અજાણ છે કે તેને પોતાની કોલેજના બે યુવકો પ્રેમ કરે છે. શ્વેતા તો તેની મસ્તીમાં મસ્ત બનીને કોલેજમાં અભ્યાસ કરી રહી છે અને પ્રથમ વર્ષની પરિક્ષાના અંતે શ્વેતા કોલેજમાં અવ્વલ આવે છે, જ્યારે શ્વેતાને પસંદ કરતા બંન્ને યુવકો સામાન્ય પરિણામ સાથે કોલેજનું પ્રથમ વર્ષ પાસ કરે છે. શ્વેતાને પ્રેમ કરતા યુવકો અનિલ અને મનોજના સ્વાભાવમાં આસમાન જમીનનો ફેર છે, બંન્ને એકબીજાથી સાવ વિપરીત સ્વભાવ ધરાવે છે. અનિલ સ્વભાવમાં ઉગ્ર અને ઇર્ષાળુ છે જ્યારે મનોજ સ્વભાવમાં શાંત અને મદદગાર પ્રકૃતિનો છે. કોલેજના બીજા વર્ષના પ્રારંભમાં અનિલ મનોજને કોલેજની કેન્ટીનમાં મળવા માટે બોલાવે છે અને કહે છે કે હું શ્વેતાને ખુબ જ પ્રેમ કરું છું એટલે હવે તું મારાં રસ્તામાં ન આવતો નહીંતર ક્યાંય ગોત્યોય હાથ નહીં આવે. હું તારી ધમકીથી ડરી જાવ તેવો નથી, તારાં જેવા કેટલાય લોકો આવીને જતાં રહ્યાં છે. રહી વાત શ્વેતાને ભુલવાની તો તું એ વાત ભુલી જજે કે હું શ્વેતાને ભુલી જઇશ, શ્વેતા મારો શ્વાસ છે, મારો વિશ્વાસ છે અને મારો પ્રાણ છે તેમ ધીમે પરંતુ મક્કમ અવાજમાં મનોજે જણાવ્યું. અનિલ અને મનોજ વચ્ચે જ્યારે કોલેજની કેન્ટીનમાં ઉગ્ર બોલાચાલી ચાલતી હોય છે ત્યારે શ્વેતા તેની બહેનપણીઓ સાથે કેન્ટીનમાં આવે છે અને તેને પામવા માટે ઝઘડતા બંન્ને યુવકોને જુએ છે. શ્વેતાને જોતાની સાથે જ અનિલ અને મનોજ ચુપચુપ પોતાની જગ્યા પર જઇને બેસી જાય છે અને થોડીવારમાં ત્યાંથી બહાર નીકળી જાય છે. કોલેજની બહાર નીકળતાની સાથે જ ફરીથી અનિલ મનોજની પાસે પહોંચી જાય છે અને ધમકી આપતા કહે છે જો તું શ્વેતાને નહીં ભુલે તો હું તને બરબાદ કરી નાંખીશ, તને ક્યાંયનો નહીં રહેવા દીઉં, તેમ છતાં પણ મનોજ શાંત રહે છે અને માત્ર એટલું જ કહે છે કે આપણે બંન્ને શ્વેતાને પ્રેમ કરીએ છીએ પણ શ્વેતા તો એક ને જ મળશે ત્યારે અનિલ ઉગ્રતાથી કહે છે કે શ્વેતા તો મારી જ છે અને તેનાં માટે હું કોઇને મારતાં પણ અચકાઇશ નહી. મનોજના આ શબ્દો શ્વેતા સાંભળી જાય છે અને ગુસ્સે થઇને શ્વેતા કહે છે કે, અનિલ આ તે શું માંડ્યું છે કે શ્વેતા તો મારી જ છે, તું કહેવા શું માંગે છે? અનિલે જણાવ્યું કે હું તને પ્રેમ કરું છું, તું પ્રેમ કરતો હોય તો તારે મને આવીને કહેવું જોઇએ કે મનોજને તેવો શ્વેતાએ પ્રશ્ન કર્યો. અનિલે કહ્યું કે, આ મનોજ પણ તને પ્રેમ કરે છે, એ તને પરેશાન ન કરે એટલે હું તેને સમજવાતો હતો. મને બધી ખબર પડે છે તારે મારું ધ્યાન રાખવાની કાંઇ જરૂર નથી, પ્રેમ તો દિલથી થાય ધમકાવાથી કાંઇ પ્રેમ ન મળે તેમ કહીને શ્વેતા ત્યાંથી ઘરે જવા માટે નીકળી જાય છે. આ ઘટના પછી રાત્રે મનોજને ઉંઘ નથી આવતી અને તે મોડી રાત્રે શ્વેતાને મોબાઇલ પર મેસેજ કરીને માફી માંગે છે કે મારા કારણે તારું કોલેજમાં નામ બદનામ થયું. બીજા દિવસે સવારે શ્વેતા કોલેજ આવવા માટે ઘરેથી નીકળી છે ત્યારે મનોજ શ્વેતા પાસે પહોંચી જાય છે અને કહે છે કે હું તને મારાં પ્રાણથી પણ વધુ પ્રેમ કરું છું અને જરૂર પડ્યે તને અનિલથી બચાવવા માટે મારાં પ્રાણ આપવા પડે તો પણ તૈયાર છું. આ તું શુ બોલે છે તેમ શ્વેતાએ કહ્યું ત્યારે મનોજે કહ્યું કે, અનિલ તને કોઇ પણ ભોગે મેળવવા માંગે છે અને જો તું અનિલને બદલે બીજા કોઇને પ્રેમ કરીશ તો અનિલ તને પામવા માટે તારાં પ્રેમીની હત્યા કરતા સહેજ પણ નહીં અચકાય. આ સાંભળીને શ્વેતા સ્તબ્ધ થઇ જાય છે અને એક પણ શબ્દ બોલી શકતી નથી. થોડીવાર શાંત રહીને શ્વેતા મનોજનો હાથ પરકડીને સીધે કોલેજના કેમ્પસમાં લઇ આવે છે અને અનિલને બોલાવે છે. અનિલને જોતાંની સાથે જ શ્વેતા ઉંચા અવાજમાં કહે છે કે, અનિલ હું મનોજને ખુલ્લેઆમ પ્રેમ કરું છું, તારાથી જે થાય તે કરી લેજે. શ્વેતાનું રણચંડી જેવું સ્વરૂપ જોઇને અનિલ ધીમા અવાજમાં કહે છે કે પ્રેમ તો હું પણ તને કરું છું ત્યારે શ્વેતાએ સ્પષ્ટ કહી દીધું કે, તે મને પામવા માટે ભયનો સહારો લીધો જ્યારે મનોજે મને પામવા માટે પ્રેમનો સહારો લીધો છે. ભયભીત કરે તે નહીં પરંતુ ભય મુક્ત કરે એ સાચો પ્રેમ છે. હું પણ મનોજને જ પ્રેમ કરું છું.

Related posts

EVENING TWEET

aapnugujarat

गुजरात में रोज ६ महिला के साथ होता है रेप : रिपोर्ट

aapnugujarat

કંદહાર કાંડ બાદ મસુદને જીવતો છોડવાની ભૂલ ભારે પડી ગઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1