કોચીના ઈદુક્કી સ્થિત પીરમાડે સબ જેલમાં એક આરોપી નરાધમ પિતાએ પોતાનો શિશ્ન કાપી નાખ્યું છે. ૪૨ વર્ષના વેંદીપેરિયારે જેલ ઓથોરિટીઝ દ્વારા દાઢી બનાવવા માટે આપવામાં આવેલી બ્લેડ વડે પોતાનું શિશ્ન વાઢી નાખ્યું હતું. ઘટનાની જાણ થતા જ જેલ અધિકારી તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતાં પરંતુ ત્યાર બાદ તેને કોટ્ટયામ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવવામાં આવ્યો હતો . જેલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ તેની તબિયત સ્થિર છે. ડૉક્ટરોએ આરોપીનું કપાયેલુ લિંગ ફરીથી જોડી દીધું છે. હવે તે ખતરાની બહાર છે. જેલના નિયમો પ્રમાણે, દર મંગળવારે કેદીઓને દાઢી કરવા માટે રેઝર અને બ્લેડ આપવામાં આવે છે. આરોપી પર ચાર મહિના પહેલા જ પોતાના સગી દિકરી પર બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવવામાં આવેલો છે. જોકે અદાલતે આરોપીને જામીન મંજૂર કરી દીધા છે. પણ જામીનની શરતો પુરી કરવા માટે તેની મદદે કોઈ આવ્યું નહોતું. જેલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આરોપી વારંવાર કહી રહ્યો છે કે તેને આવો કોઈ ગુનો કર્યો જ નથી.
પાછલી પોસ્ટ