કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, હિંદુ દુનિયામાં સર્વાધિક સહિષ્ણું લોકો છે પરંતુ અયોધ્યામાં રામમંદિરની હદમાં મસ્જીદ બનાવવાની વાત તેને અસહિષ્ણું બનાવી શકે છે. આ સાથે જ ઉમા ભારતીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની સાથે અયોધ્યામાં મંદિર નિર્માણની આધારશિલા રાખવા માટે આમંત્રીત કર્યા અને કહ્યું કે, તેઓ આવું કરીને પોતાની પાર્ટીના પાપોનું પ્રાયશ્ચિત કરી લેશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઊમા ભારતીએ કહ્યું, હિંદૂ વિશ્વમાં સૌથી સહિષ્ણું લોકો છે. હું દરેક રાજનીતિજ્ઞોને અપીલ કરૂ છું કે, કૃપા કરીને અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થાનના બહાની હદમાં એક મસ્જીદનું નિર્માણ કરી તેમને અસહિષ્ણુ બનાવો નહી. તેમણે કહ્યું જ્યારે મદીના નગરમાં એક પણ મંદિર હોઇ શકે નહી અથવા વેટિકન સિટીમાં એક પણ મસ્જીદ હોઇ શકે નહી તો અયોધ્યામાં મસ્જીદની વાત કરવી અયોગ્ય રહેશે.