Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામ મંદિર પાસે મસ્જીદ બનાવવાની વાત હિંદુઓને અસહિષ્ણુ બનાવી શકે છે : ઉમા ભારતી

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, હિંદુ દુનિયામાં સર્વાધિક સહિષ્ણું લોકો છે પરંતુ અયોધ્યામાં રામમંદિરની હદમાં મસ્જીદ બનાવવાની વાત તેને અસહિષ્ણું બનાવી શકે છે. આ સાથે જ ઉમા ભારતીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની સાથે અયોધ્યામાં મંદિર નિર્માણની આધારશિલા રાખવા માટે આમંત્રીત કર્યા અને કહ્યું કે, તેઓ આવું કરીને પોતાની પાર્ટીના પાપોનું પ્રાયશ્ચિત કરી લેશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઊમા ભારતીએ કહ્યું, હિંદૂ વિશ્વમાં સૌથી સહિષ્ણું લોકો છે. હું દરેક રાજનીતિજ્ઞોને અપીલ કરૂ છું કે, કૃપા કરીને અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થાનના બહાની હદમાં એક મસ્જીદનું નિર્માણ કરી તેમને અસહિષ્ણુ બનાવો નહી. તેમણે કહ્યું જ્યારે મદીના નગરમાં એક પણ મંદિર હોઇ શકે નહી અથવા વેટિકન સિટીમાં એક પણ મસ્જીદ હોઇ શકે નહી તો અયોધ્યામાં મસ્જીદની વાત કરવી અયોગ્ય રહેશે.

Related posts

કર્ણાટકમાં કોંગીના પાંચ સભ્યો છેડો ફાડી શકે

aapnugujarat

योगी की एक ही भाषा ठोक दो, समझ नहीं आता किसे ठोकना : गाजीपुर हिंसा : अखिलेश की प्रतिक्रिया

aapnugujarat

राष्ट्रपति कोविंद के लिए एयरस्पेस खोलने से पाकिस्तान ने किया इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1