ઉત્તરપ્રદેશના શામલીમાં ધર્મ પરિવર્તનનો એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. અહીંયા એક વ્યક્તિએ જિલ્લા કલેક્ટર પાસે જઈને ધર્મપરિવર્તનની માંગ કરી છે. આ માટે તેણે કારણ આપ્યુ છે કે મને સપનામાં રામ ભગવાન દેખાય છે.
ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શહેજાદ રાણા પોતાના છ વર્ષના પુત્ર સાથે કલેક્ટર પાસે પહોંચ્યા હતા. શહેજાદે કહ્યુ હતુ કે મારા પૂર્વજો હિન્દુ ધર્મ ત્યાગીને મુસ્લિમ બન્યા હતા. જોકે મારી આસ્થા હિન્દુ ધર્મમાં છે. મને સપનામાં પણ ભગવાન રામ દેખાય છે. એટલે વગર કોઈ દબાણે હું ધર્મ પરિવર્તન કરવા માંગુ છું.
શહેજાદે પોતાનુ નામ બદલીને સંજુ અને પુત્રનુ નામ સુમેરથી બદલીને શેખર પણ કરી નાંખ્યુ છે. જોકે શહેજાદની પત્ની અને બીજો પુત્ર ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર નથી. કલેક્ટરનુ કહેવુ છે કે આ મુદ્દા પર હું કશું કહી શકુ તેમ નથી. કારણકે આસ્થા અને ધર્મ દરેક વ્યક્તિની અંગત બાબત છે.
પાછલી પોસ્ટ