Aapnu Gujarat
મનોરંજન

સંજય લીલા સાથે કોઇ ફિલ્મ કરી રહી નથી : એશ

બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચને સંજય લીલા સાથે કોઇ ફિલ્મમાં કામ કરી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. એશે કહ્યુ છે કે આ પ્રકારના મિડિયા હેવાલ ખોટા છે. સંજય લીલા પદ્માવતિ ફિલ્મ બાદ નવા પ્રોજેક્ટ પર વિચારણા કરી રહ્યા છે. સલમાન સાથે પણ વાત થઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે કોઇ બાબત નક્કી થઇ નથી. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ફિલ્મમાં તેની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવની ભૂમિકા હતી. એશ અને સંજયલીલા બન્ને વચ્ચે નજીકની મિત્રતાના કારણે મળી રહ્યા છે પરંતુ તેમની વચ્ચે ફિલ્મને લઇને કોઇ ચર્ચા નથી. હાલમાં સંજય લીલા દિવાળી પાર્ટી પર એશના આવાસ પર આ ખુબસુરત અભિનેત્રીને મળ્યા હતા. એશના ફેવરીટ નિર્દેશક તરીકે સંજય લીલા ચોક્કસપણે છે પરંતુ હાલમાં ફિલ્મને લઇને કોઇ વાત કરાઇ નથી. સુત્રો પાસેથી એવી માહિતી પણ મળી છે કે ફિલ્મમાં આઇટમ સોંગ માટે કોઇ સ્કોપ જ નથી. આવી સ્થિતીમાં એશને ફિલ્મમાં સામેલ કરવાની બાબત આધારવગરની છે. હજુ સુધી એવી ચર્ચા હતી કે એશને ફિલ્મમાં લેવામાં આવનાર છે. સંજય લીલાની છેલ્લી ફિલ્મ પદ્માવતિ હતી જેમાં દિપિકા, રણવીરસિંહ અને શાહિદ કપુર મુખ્ય ભૂમિકા અદા કરી હતી. સંજય લીલા બોલિવુડમાં ખુબ મોંઘી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મો મોટી હોય છે. પદ્માવતિ પણ આવી જ ફિલ્મ હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી ગઇ હતી. હવે તેમની આગામી ફિલ્મને લઇને ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. જો કે કોઇ બાબત હજુ નક્કી નથી.

Related posts

રણબીર ફ્રેન્ડ કરતા પણ વધુ હોવાની આલિયાની કબુલાત

aapnugujarat

મેરી કોમ બાદ પ્રિયંકા ચોપડા પીટી ઉષા બનવા માટે ઇચ્છુક

aapnugujarat

फिल्मों के चुनाव की अपनी प्रक्रिया पर भूमि पेडनेकर ने की बात

editor

Leave a Comment

UA-96247877-1