સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવ દ્વારા સમાજવાદી સેક્યુલર મોરચાની રચના કરી લેવામાં આવ્યા બાદ તેમના નિર્ણય અંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અખિલેશે કહ્યું હતું કે, આની પાછળ ભાજપની ચાલ રહેલી છે. શિવપાલની નારાજગી ઉપર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, તેઓ પણ તેવા લોકોમાં છે જે નારાજ છે પરંતુ ક્યાં જઇ શકે છે. બીજી બાજુ ભાજપે અખિલેશ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ચૂંટણીમાં સતત મળી રહેલી હારના પરિણામ સ્વરુપે હતાશ થઇ ચુકેલા અખિલેશ હવે આ મુજબની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અખિલેશે કહ્યું હતું કે, ૨૦૧૯ પહેલા કેટલીક અન્ય બાબતો બની શકે છે. અમે યુવાનો માટે કામ કરવા ઇચ્છીએ છીએ. ભાજપ સરકારમાં ખેડૂતોને મદદ મળી રહી નથી. તમામ વિપક્ષી દળો સાથે મળીને ભાજપને બોધપાઠ ભણાવવા ઇચ્છુક છે. તેમની નજર ૨૦૧૯ ઉપર કેન્દ્રિત છે. સમાજવાદી પાર્ટીની સાયકલ નિયમિતરીતે આગળ વધતી જ રહેશે.
આગળની પોસ્ટ