નાગપુરના એક યુવાનને વડોદરામાં કિન્નર બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે સવારે યુવક નહાવાના બહાને વડોદરાથી ભાગીને સુરત મિત્ર પાસે આવી ગયો હતો. હાલ યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. વડોદરામાં ગોંધી માર મારી કિન્નર બનાવવાનો કારસો ઘટવામાં આવ્યો હોવાનો યુવાને આક્ષેપ સુરત સિવિલ હોસ્પિટલમાં કર્યો હતો. અને ડોક્ટરોને તમામ હકીકત જણાવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. અને એમએલસી કેસ નોંધવામાં આવ્યો છે.
નાગપુરમાં સોહિલ (નામ બદલેલ છે)(ઉ.વ.૧૮) રહે છે. સોસાયટીમાં બાજુમાં રહેતી એક મહિલા ૫ મહિના પહેલાં સોહિલને વડોદરા લઈ આવી હતી. ત્યારબાદ તેનું ઓપરેશન કરી કિન્નર બનાવવાની વાત આવતા સોહિલે વિરોધ નોંધાવ્યો હતો. જેથી સોહિલને ગોંધીને માર મારવામાં આવ્યો હતો. દરમિયાન સોહિલ આજે નહાવાના બહાને વડોદરાથી ભાગી સુરતમાં રહેતા મિત્ર સિમરન પાસે આવી ગયો હતો. શરીર પર ઈજાના નીશાન મળી આવતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલા સોહિલે સમગ્ર હકીકત જણાવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. સોહિલે વધુમાં જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલા સુરત આવેલા લક્કીને ફરી વડોદરા બોલાવી રેલ્વે સ્ટેશન પર જ માર મરાયો હતો. ત્યારબાદ ગોંધી રખાયો હતો. મિત્ર સિમરનને પણ આવી જ રીતે કિન્નર બનાવવામાં આવ્યો છે. અને છેલ્લા બે મહિનાથી સુરતમાં રહે છે. સુરત સિવિલ હોસ્પિટલમાં એમએલસી કેસ નોંધવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ