ગુજરાતી હિન્દી, કવિ, લેખક, વ્યસન મુક્તિ અભિયાનનાં પ્રણેતા નિવૃત્ત ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ જિ.શિ.અ.કચેરી અમદાવાદ શહેર અને મોટેરાનાં વતની અને હાલમાં ગાંધીનગર સ્થાયી થયેલ ગુલાબચંદ પટેલને કાવ્ય રંગોલી હિન્દી સાહિત્યિક પત્રિકા લખીમપુર ઉત્તરપ્રદેશનાં મુખ્ય સંપાદ આશુ કવિ નીરજ અવસ્થી દ્વારા ‘કાવ્ય રંગોલી માતૃત્વ મમતા સન્માન ૨૦૧૮’થી નવાજવામાં આવેલ છે. આ સન્માન હિન્દી સાહિત્યની ઉત્કૃષ્ટ સેવાઓ માટે એનાયત કરાયેલ છે. તેઓને સાહિત્ય પ્રેમી, લેખક, સ્નેહીજનો, કુટુંબીજનો અને વોઈસ ઓફ ગાંધીનગર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ