Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહાર શેલ્ટર કેસ : સુપ્રીમે કેન્દ્ર, બિહારને નોટિસ ફટકારી

બિહારના મુજફ્ફરપુરમાં બાળા ગૃહની બાળકીઓ સાથે સનસનાટીપૂર્ણ રેપના મામલે હવે સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે.  ગુરૂવારે આજે સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાની સાથે લઇને બાળકીઓની સાથે થયેલા અત્યાચારના મામલે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, બિહાર સરકાર અને તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં રિપોર્ટિંગના મામલે મિડિયા માટે પણ કેટલાક ખાસ આદેશો જારી કર્યા છે. આ સમગ્ર મામલામાં પટણામાં એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધાર પર આ નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર ઘટનાને આઘાતજનક ગણાવીને ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઇન્સને સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ જારી કર્યો છે. મિડિયાને પણ કેટલીક સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે બાળકીઓના ફોટો કોઇ કિંમતે સપાટી પર આવવા જોઇએ નહી. આ ઉપરાંત કોઇ પણ પિડિતાના ઇન્ટરવ્યુ પણ આવવા જોઇએ નહી. સુપ્રીમ કોર્ટે હૈવાનિયત વાળા આ કાંડમાં એડવોકેટ અપર્ણા ભટ્ટને એમિકસ ક્યુરી તરીકે નિમવા માટેની પણ જાહેરાત કરી છે. સીબીઆઇ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. માત્ર બિહારમાં જ નહીં બલ્કે દેશમાં શેલ્ટર હોમમાં હૈવાનિયતની ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ આને લઇને નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે.
બિહારમાં માનવતા શરમજનક સ્થિતિમાં મુકી દેનાર ઘટનાઓને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ જારી છે. મુઝફ્ફરપુર મામલા પર આજે બિહારમાં સ્થિતિ તંગ રહી હતી. સીબીઆઈ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. સીબીઆઈએ કહ્યું છે કે, સગીર યુવતીઓ સાથે બાળા ગૃહના કર્મચારીઓ દ્વારા બળાત્કાર ગુજારવાના મામલામાં ઉંડી ફોરેન્સિક તપાસ કરવામાં આવનાર છે. સીએફએસએલની એક ટીમ ટૂંક સમયમાં મુઝફ્ફરપુર જઇને આશ્રમ રોડથી ફોરેન્સિક નમૂના એકત્રિત કરશે. અધિકારીઓએ કહ્યું છે કે, પીડિતાઓના નિવેદનોનો ઉપયોગ કરીને ઉંડી તપાસ કરવામાં આવશે. અપરાધને કઇ રીતે અંજામ આપવામાં આવ્યા છે તેમાં પણ તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં માહિતી એકત્રિત કરવામાં આવ્યા બાદ કેસ ચલાવવા માટે તેનો ઉપયોગ કરાશે.
સીબીઆઈ ભોગ બનેલી સગીરાઓના નિવેદન નોંધવા માટે મનોવૈજ્ઞાનિક મદદ લઇ રહી છે. કેટલાક પીડિતાઓની વય માત્ર છથી સાત વર્ષની છે.
એવા આક્ષેપ છે કે, બિહાર સરકાર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આશ્રમ રોડની આશરે ૩૦ સગીરાઓ સાથે બળાત્કાર ગુજારવાનો મામલો ખુબ જ ગંભીર બની ગયો છે.
મુંબઈ સ્થિતિ તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ તરફથી એપ્રિલ મહિનામાં બિહાર સરકારના સામાજિક કલ્યાણ વિભાગ તરફથી એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વખત આશ્રમ ગૃહમાં રહેતી યુવતીઓ સાથે રેપની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ૩૧મી મેના દિવસે બ્રજેશ ઠાકુર સહિત ૧૧ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
હવે સીબીઆઈ આ સમગ્ર મામલામાં તપાસ પોતાનીરીતે ચલાવી રહી છે.  બીજી બાજુ પીઆઈબી દ્વારા મુઝફ્ફરપુર આશ્રમ ગૃહ દુષ્કર્મના મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ કુમારની પ્રેસ માન્યતા રદ કરી દેવામાં આવી છે. પીઆઈબી તરફથી સંબંધિત વિભાગને પણ કહેવામાં આવ્યું છે કે, પીઆઈબી કાર્ડના આધાર પર બ્રજેશ જે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે પરત ખેંચી લેવામાં આવે.

Related posts

કોંગ્રેસ નેતા શકીલ અહમદને ફટકો, પાર્ટીએ દેખાડી દીધો બહારનો રસ્તો

aapnugujarat

ચેતેશ્વર પૂજારાનાં શાનદાર ૧૨૩ રન : ભારત મજબુત સ્થિતિમાં

aapnugujarat

चिदंबरम और कार्ति को गिरफ्तारी से दी गई अंतरिम छूट की अवधि 23 तक बढ़ी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1