Aapnu Gujarat
ગુજરાત

નાયબ મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાના ૬૯મા વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વરણામા ગામે BITS એજ્યુકેશન કેમ્પસ ખાતે પૂજન સાથે વૃક્ષારોપણ કરીને વડોદરા જિલ્લાના ૬૯મા વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી, ધારાસભ્યશ્રીઓ, બીટસના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વનકર્મીઓ કેમ્પસમાં વિવિધ પ્રજાતિઓના ૧૧૧૧ રોપાઓનું વાવેતર કર્યું હતું. વન વિભાગે હવે પછી જિલ્લામાં તાલુકા અને ગ્રામ કક્ષાએ સઘન વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવાનું જાહેર કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના સામાજીક વનીકરણ વિભાગ અને વન વિભાગની નિષ્ઠાવાન અને સંકલ્પબદ્ધ કામગીરી અને વૃક્ષઉછેરના કામમાં લોકશક્તિને જોડવાના અભિગમને કારણે રાજ્યમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકા નોંધપાત્ર વધારો થયો છે. સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે. રાજ્ય સરકારે વિકાસ માટેની જરૂરિયાતને કારણે જેટલા વૃક્ષો કાપવા પડે એનાથી વધુ નવા વૃક્ષો વાવવા અને ઉછેરવાની જે નીતિ અપનાવી છે એના સારા પરિણામો મળ્યા છે, એવું જણાવીને તેમણે વન વિભાગને અને વનીકરણના કામમાં જોડાયેલા લોકો અને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા.

વૃક્ષોનો મહિમા આપણા ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે અને આપણા તહેવારો પણ વૃક્ષો સાથે જોડાયેલા છે એવી જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે નીમકોટેડ યુરીયાના નવતર પ્રયોગ દ્વારા ખાતરની અસરકારકતા વધારી અને તેનો દુરૂપયોગ અટકાવ્યો છે. લીંબોળી જેવી ગૌણ વનપેદાશોના એકત્રીકરણના કામોમાં બહેનોને રોજગારી આપીને મહિલા સશક્તિકરણ કર્યું છે. તેમણે વૃક્ષઉછેરમાં સહયોગના બીટસના સંચાલકોના અભિગમને બીરદાવ્યો હતો અને ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ સેવા અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે શિક્ષણના સૌજન્યની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે મહિલા વૃક્ષઉછેર સહકારી મંડળીઓને અનુદાનના ચેક્સનું, વનીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનારા વનપાલોને પ્રશસ્તિપત્રોનું અને પોતાની જમીનોમાં નોંધપાત્ર વૃક્ષઉછેર કરનારા સાવલી તાલુકાના ગરધીયાના મૂળજીભાઇ મગનભાઇ પટેલ અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.

ગુજરાતે ઉછેરેલા ૧૮ સાંસ્કૃતિક વનો પર્યાવરણ સુધારણાની સાથે પ્રવાસનના કેન્દ્રો બન્યા છે, એવી લાગણી વ્યક્ત કરતાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષશ્રી અસીત વોરાએ જણાવ્યું કે, વૃક્ષઉછેરથી પર્યાવરણના પડકારોનો સામનો કરવાની ગુજરાતની વ્યૂહરચનાને સફળતા મળી છે અને રૂા. ૪૫૦૦ કરોડથી વધુ રકમ કાર્બન ક્રેડીટના રૂપમાં મેળવીને ગુજરાતે દાખલો બેસાડ્યો છે.

આ પ્રસંગે મહિલા વૃક્ષઉછેર સહકારી મંડળીઓને અનુદાનના ચેક્સનું, વનીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનારા વનપાલોને પ્રશસ્તિપત્રોનું અને પોતાની જમીનોમાં નોંધપાત્ર વૃક્ષઉછેર કરનારા સાવલી તાલુકાના ગરધીયાના મૂળજીભાઇ મગનભાઇ પટેલ અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું.

ગુજરાતે ઉછેરેલા ૧૮ સાંસ્કૃતિક વનો પર્યાવરણ સુધારણાની સાથે પ્રવાસનના કેન્દ્રો બન્યા છે, એવી લાગણી વ્યક્ત કરતાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષશ્રી અસીત વોરાએ જણાવ્યું કે, વૃક્ષઉછેરથી પર્યાવરણના પડકારોનો સામનો કરવાની ગુજરાતની વ્યૂહરચનાને સફળતા મળી છે અને રૂા. ૪૫૦૦ કરોડથી વધુ રકમ કાર્બન ક્રેડીટના રૂપમાં મેળવીને ગુજરાતે દાખલો બેસાડ્યો છે.

Related posts

નર્મદા જિલ્લામાં તા. ૪ થી જુને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાના કેન્દ્રો  પ્રતિબંધિત જાહેરઃ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ  

aapnugujarat

શહીદ વિશે અપશબ્દ બોલવા તે કાયરતા છે : અહેમદ પટેલ

aapnugujarat

સીજી રોડ અને આશ્રમરોડ પર પહેલી માર્ચથી સીલિંગ ઝુંબેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1