Aapnu Gujarat
ગુજરાત

સિદ્ધપુરનાં વેપારીની ક્રુર હત્યા

પોતાની કારમાં જઇ રહેલા સિદ્ધપુરના એક વેપારીનું મોઢેરા ચોકડી પાસેથી ગઇ રાત્રે અજાણ્યા શખસોએ અપહરણ કર્યા બાદ હત્યા કરી લાશને ઊંઝાના ઉનાવા નજીક ફેંકી દઇ કાર સહિતની માલમતાની લૂંટ ચલાવતા આ ઘટનાએ સનસનાટી મચાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે, સિદ્ધપુરમાં રેડિમેઇડ કપડાનો શો-રૂમ ધરાવતા ૩પ વર્ષીય સંજયભાઇ સુંદરલાલ મુલાણી નામના વેપારી ગઇકાલે બપોર બાદ પોતાની કારમાં મહેસાણા ખાતે ખરીદી કરવા આવ્યા હતા. ધંધાકીય કામકાજ અને ખરીદી કરી સંજયભાઇ મોડી રાત્રે ૧૧-૩૦ વાગ્યાના સુમારે કારમાં સિદ્ધપુર પરત જવા નીકળ્યા હતા.
ત્યારે મોઢેરા ચોકડી પાસે ઊભેલા બે શખસોએ કાર ઊભી રખાવી સંજયભાઇ પાસે લિફટ આપવા વિનંતી કરી હતી. આથી સંજયભાઇએ બંનેને કારમાં લિફટ આપી હતી. કાર થોડે દૂર ગયા બાદ કારમાં બેઠેલા બે અજાણ્યા શખસોએ સંજયભાઇની ઉપરા ઉપરી છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને ઊંઝા નજીક આવેલા ઉનાવા રોડ પર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી.
ગુનેગારો કાર અને અન્ય માલમત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. સંજયભાઇની લાશ આજે સવારે લોહીલુહાણ હાલતમાં મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. સંજયભાઇ ઠક્કર પરિવારનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળે છે. પોલીસે ખૂન અને લૂંટનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે.

Related posts

दलितों पर अत्याचार के केस में पुलिस कमिशनर को पूरे मामले को देखने का आदेश

aapnugujarat

રાજકોટમાં ૨૮ કરોડની નકલી રેલ્વે ટિકિટનું કોભાંડ ઝડપાયું

aapnugujarat

એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડનારી ટોળકી પકડાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1