મહોબા જિલ્લાના ખરેલા થાણા ક્ષેત્રમાં પહરેથા ગામમાં એક મુસ્લિમ યુવકે રોટી બળી જવા પર પોતાની પત્નીને ’ત્રણ તલાક’ બોલીને ઘરની બહાર નિકાળી દીધી છે. પોલીસે જણાવ્યા અનુસાર પહરેથા ગામની ૨૪ વર્ષની મુસ્લિમ યુવતીએ પોતાની પાસે આવીને ફરિયાદ કરી છે કે રોટી બળી જવાના કારણે પતિએ ત્રણ તલાક કહીને ઘરની બહાર નિકાળી દીધી છે. મહિલાએ આ વાતનો ફરિયાદી પત્ર આપ્યો છે. આ મામલામાં ઘરેલૂ હિંસા કાયદા હેઠળ કેસ દાખલ કરવાનો આદેશ સ્ટેશનને આપ્યો છે. એમને જણાવ્યું કે ફરિયાદી પત્ર અનુસાર કરહકા ગામની રાજિયાના લગ્ન પહરેથા ગામના નિહાલ ખા ની સાથે ૪ જુલાઇ ૨૦૧૭એ થયા હતા. રજિયાએ આરોપ લગાવ્યો હતો કે ડિવોર્સ આપવા અને ઘરથી બહાર નિકાળી દેવાની ફરિયાદને લઇને એ પહેલા સ્ટેશન ગઇ હતી, પરંતુ પોલીસે એને ખખડાવીને ભગાડી દીધી હતી. ત્યારબાદ એ ઉચ્ચે પોલીસ અધિક્ષકને મળી. એને એવો પણ આરોપ લગાવ્યો છે કે ડિવોર્સ આપવાના ત્રણ દિવસ પહેલા એના પતિએ સળગતી સિગરેટથી એના શરીરના કેટલાક ભાગે ડામ પણ આપ્યા હતા.