Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદે પાકિસ્તાનનો ફરી ભીષણ ગોળીબાર : ૪નાં મોત, ૨૦ ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાને પવિત્ર રમજાન મહિના દરમિયાન પણ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં આજે વધુ ચાર લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગોળીબારના કારણે દહેશતમાં રહેલા સરહદી ગામોના ૪૦૦૦૦થી વધુ લોકોને અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની ફરજ પડી રહી છે. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ, કઠુઆ, સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા ગામોમાં અને સરહદી ચોકી ઉપર આજે મોર્ટારથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. સાંબામાં આજે સવારે નવ વાગ્યાથી ગોળીબારની શરૂઆત થયા બાદ બે લોકોના મોત થઇ ગયા હતા. પાકિસ્તાની રેન્જરોએ કઠુઆ જિલ્લામાં આવાસ વિસ્તારોમાં તથા ચોકી પર ગોળીબાર કર્યો હતો. હિરાનગર સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરહદ પર રહેતા લોકોને બુલેટપ્રુફ વાહનોથી ત્યાંથી કાઢવામાં આવ્યા હતા. જમ્મુ જિલ્લાના આરએસપુરા, અરણિયા, રામગઢ અને સાંબા સેક્ટરમાં ગોળીબાર જારી રહ્યો છે. મંગળવારના દિવસે પાકિસ્તાની ગોળીબારમાં એક આઠ મહિનાના બાળકનું મોત થયું હતું. ૪૦૦૦૦થી વધુ લોકો અન્યત્ર જતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદના આરએસપુરા, અરણિયા, રામગઢ અને અન્ય ક્ષેત્રોમાંથી હજારો લોકો સ્થળાંતર કરી ગયા છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા જોરદાર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને પોતાની હરકતો જારી રાખીને રવિવાર બાદથી ગોળીબાર જારી રાખ્યો છે. રવિવાર, સોમવાર અને મંગળવાર તેમજ આજે બુધવારે પાકિસ્તાને સતત ગોળીબાર જારી રાખ્યો હતો. પાકિસ્તાની ગોળીબારના કારણે લોકો સરહદી વિસ્તારમાં વ્યાપક દહેશતમાં છે. અંકુશ રેખા પર યુદ્ધવિરામના ભંગ વચ્ચે જમ્મુકાશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફતિએ અંકુશ રેખા નજીકના ગામોની મુલાકાત લીધી હતી. તેમની સાથે વાતચીત પણ કરી હતી. હાલમાં જ બીએસએફના જવાનોએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાની બંકરને ફુંકી માર્યું હતુ. બીએસએફના આ હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતુ. સરહદ પારથી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા અવિરત ગોળીબારનો જવાબ આપીને બીએસએફએ જોરદાર કાર્યવાહી કરી હતી. મળેલી માહિતી મુજબ પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફના પાંચ જવાનના મોત થયા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. પશ્વિમી સરહદ ઉપર તૈનાત બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની બંકરને ફુંકી માર્યું હતું. અત્રે નોંધનીય છે કે, સરહદ ઉપર આરએસપુરા અને અરણિયા સેક્ટરના ગામોમાં પાકિસ્તાને જોરદાર ગોળીબાર અને તોપમારો જારી રાખ્યો છે. જેથી લોકોમાં દહેશત ફેલાયેલી છે. પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના જુદા જુદા સેક્ટરોમાં અંકુશરેખા પર ભારતીય ચોકીઓ ઉપર ભીષણ ગોળીબાર કર્યો હતો. આરએસપુરા, વિશ્વનાથ અને અરણિયા સેક્ટરમાં ભારતીય ચોકી ઉપર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ચાર નાગરિકો અને બીએસએફના એક જવાનનું મોત થયું હતુ. જ્યારે બીએસએફના એક ઓફિસર સહિત અન્ય ૧૨ લોકો પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ કાશ્મીરની યાત્રા પહેલા સતત ત્રીજા દિવસે પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો.

૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૭૦૦ વખત ગોળીબાર કરાયો
જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. એકબાજુ ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિનામાં ત્રાસવાદીઓ સામે ઓપરેશનને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે સરહદ ઉપર પાકિસ્તાને તેની હરકતો જારી રાખી છે અને બિનઉશ્કેરણીજનકરીતે ગોળીબાર જારી રાખ્યો છે. બીએસએફની જવાબી કાર્યવાહીથી હચમચી ઉઠેલા પાકિસ્તાને હાલમાં જ ગોળીબાર બંધ કરવા માટે અપીલ કરી હતી. જો કે, પોતે દુસાહસ કરીને ગોળીબારનો દોર જારી રાખે છે. આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાના હેતુસર આ કાર્યવાહી જારી રાખવામાં આવી છે. આ વર્ષે સરહદપારથી ગોળીબારની ઘટનાઓ ૭૦૦થી પણ વધુ બની છે. પાકિસ્તાન તરફથી કરાયેલા આ ગોળીબારમાં ૧૮ સુરક્ષા કર્મીઓ સહિત ૪૦ લોકોના મોત થયા છે તથા સેંકડો લોકો ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પર વિશ્વાસની બાબત બિલકુલ યોગ્ય દેખાઈ રહી નથી. રમઝાનમાં પણ પાકિસ્તાને પોતાની હરકતો યથાવત રાખી છે.

Related posts

इलाहाबाद-आनंद विहार टर्मिनल के बीच स्पेशल रेलगाड़ी का संचालन

aapnugujarat

દુનિયા માટે સૌથી મોટુ સંકટ છે આતંકવાદ અને કટ્ટરપંથ : રાજનાથ સિંહ

editor

दिल्ली सरकार भ्रष्ट कर्मचारियों और अधिकारियों की करेगी जबरन छुट्टी..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1