Aapnu Gujarat
રમતગમત

આજે રાજસ્થાનને પછડાટ આપવા ચેન્નાઇ સુપર સંપૂર્ણ સુસજ્જ

આજે આઇપીએલની ૪૩મી મેચ રમાનાર છે. જેમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગેથી કરવામાં આવનાર છે. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરની મેચને લઇને હવે ઉત્સુકતા વધી ગઇ છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હજુ સુધી ૧૦ મેચ રમી છે જે પૈકી સાતમાં જીત મેળવી છે અને ત્રણમાં તેની હાર થઇ છે. ચેન્નાઇ આવતીકાલે મેચ જીતી તેની સ્થિતીને વધારે મજબુત કરવા પ્રયાસ કરશે. છેલ્લી મેચમાં જીત મેળવીને મુંબઇએ ફરી એકવાર આશા જગાવી છે. ધોની જોરદાર ફોર્મમાં હોવાથી તમામ ચાહકોની નજર તેના પર કેન્દ્રિત રહેશે. બીજી બાજુ રાજસ્થાન પણ મજબુત દેખાવ કરવા માટે તૈયાર છે. રાજસ્થાને હજુ સુધી ૧૦ મેચો પૈકી ચારમાં જીત મેળવી છે અને છમાં તેની હાર થઇ છે. જેથી તે પોતાની સ્થિતી મજબુત કરીને કોલકત્તા નાઇટ રાઇડર્સ સુધી પહોંચવા માટેના પ્રયાસ કરશે., આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવ ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્‌ર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે જે પૈકી ૪૦ મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.

Related posts

મોદીને તેમના જ સમુદાયના લોકો મારી નાખશે : જાવેદ મિયાંદાદ

aapnugujarat

जर्मनी को हराकर स्वीडन ने बनाई सेमीफाइनल में जगह

aapnugujarat

ટી૨૦ વર્લ્ડ કપને લઈ પાકિસ્તાની ફેને પાકિસ્તાનના કેપ્ટનને ધમકી આપી

editor

Leave a Comment

UA-96247877-1