Aapnu Gujarat
ગુજરાત

છોટાઉદેપુરઃ અકસ્માતમાં કાળનો કોળીયો બન્યાં એક પરિવારના ૭ સભ્ય

છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ૭ લોકોનાં મોત થયાં છે. છોટાઉદેપુરમાં એક જ પરિવારના સાત લોકોને કાળ ભરખી ગયો. હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થતાં એક જ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના રંગપુર પાસે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામ મધ્ય પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ૩ બાળક, ૨ મહિલા અને ૨ પુરૂષોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના વતની છે. અને આ પરિવાર વડોદરાની હોસ્પિટલે જઈ રહ્યો હતો. તે દરમિયાન ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો. અને તેમાં ૭ લોકોના મોત થયા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરતા તમામના મૃતદેહને પીએમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. અને સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

અમારી સરકાર બનશે તો ૧૫ દિવસમાં પાટીદારો સામેના તમામ કેસ પરત ખેંચીશું : કેજરીવાલ

aapnugujarat

રૂપાણી સરકારનું અઘોષિત લોકડાઉન, રાજ્યના શહેરો બંધ

editor

કાંકરેજમાં પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1